RAJKOT: ભગવતી પુરાના પુલ પરથી અઠવાડિયામાં બીજો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ

શહેરનાં ભગવતીપુરા વિસ્તારમાં સતત બીજા અઠવાડીયે રેલવેના પાટા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાથી તંત્ર દોડતું થયું છે. બી ડિવિઝન પોલીસ 108ની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટનાં ભગવતીપુરા નજીક આવેલા ખોડિયારપરા શેરી નંબર 1 નજીક આવેલ જુના રેલવે પુલની નીચેથી એક નગ્ન વ્યક્તિનો મૃતદેહ પડ્યાનો કોલ વહેલી સવારે પોલીસને મળતા જ પોલીસ દોડતી થઇ હતી. 
RAJKOT: ભગવતી પુરાના પુલ પરથી અઠવાડિયામાં બીજો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઇ

રાજકોટ : શહેરનાં ભગવતીપુરા વિસ્તારમાં સતત બીજા અઠવાડીયે રેલવેના પાટા પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યાની ઘટનાથી તંત્ર દોડતું થયું છે. બી ડિવિઝન પોલીસ 108ની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટનાં ભગવતીપુરા નજીક આવેલા ખોડિયારપરા શેરી નંબર 1 નજીક આવેલ જુના રેલવે પુલની નીચેથી એક નગ્ન વ્યક્તિનો મૃતદેહ પડ્યાનો કોલ વહેલી સવારે પોલીસને મળતા જ પોલીસ દોડતી થઇ હતી. 

108ની ટીમે યુવકની તપાસીને તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથિક દ્રષ્ટીએ યુવાન પુલ પરથી પટકાતા મોત થયું હોવાનું પોલીસ માની રહી છે. જો કે અહીં અઠવાડીયા અગાઉ પણ મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે પોલીસ અન્ય કારણો અંગે પણ તપાસ કરી રહી છે. જો કે પોલીસ હજી સુધી મૃતદેહની ઓળખ કરી શકી નથી. 

હાલ તો પોલીસ આપઘાત કે હત્યા બંન્ને થિયરી પર તપાસ કરી રહી છે. પુલ પરથી પટકાયેલા અજાણ્યા યુવાનનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ તેના વાલી વારસ શોધવા પ્રયાસ કરી રહી છે. જો કે યુવકનાં ગુપ્ત અંગની તપાસ કરતા તે મુસ્લીમ હોવાનું પોલીસ માની રહી છે. હાલ તો પોલીસ સગ્ર મદ્દે તપાસ ચલાવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news