ભાડું ન ચુકવ્યું તો માત્ર 30 રૂપિયા માટે રીક્ષા ચાલકે કરી મુસાફરની હત્યા, CCTVમાં કેદ થઈ ચોંકાવનારી ઘટના

એક માણસના જીવની કિંમત અમૂલ્ય આંકવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના બની છે જેણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા કર્યાં છે. માત્ર 30 રૂપિયા જેવી સામાન્ય રકમને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
 

ભાડું ન ચુકવ્યું તો માત્ર 30 રૂપિયા માટે રીક્ષા ચાલકે કરી મુસાફરની હત્યા, CCTVમાં કેદ થઈ ચોંકાવનારી ઘટના

દર્શલ રાવલ, અમદાવાદઃ શું એક વ્યક્તિની કિંમત 30 રૂપિયા હોઈ શકે ખરા? સાંભળવામાં અજોગતું લાગશે પણ આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે. જ્યાં 30 રૂપિયા ભાડું નહીં આપનારની એક શખ્સે હત્યા કરી નાખી. જે કેસમાં પોલીસે હત્યારાને શોધી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તમે પણ જાણો શું છે આ સમગ્ર ઘટના....

શું છે ઘટના
રવિવારે નવરંગપુરામાં દેરાસર પાસે કળશ એપાર્ટમેન્ટ નજીક એક વ્યક્તિનો મૃતદેહ પડ્યાનો પોલીસ કંટ્રોલમાં કોલ મળ્યો હતો. જ્યાં ટ્રાફિક પોલીસે પહોંચી તપાસ કરતા રીક્ષા ચાલકે તેને ટક્કર મારી હોવાથી ઘટનામાં સૌપ્રથમ અકસ્માતનો ગુનો દાખલ કરાયો હતો. જોકે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી અને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા તો તેમાં સામે આવ્યું કે રીક્ષા ચાલકે તેને ટક્કર માર્યા બાદ ફરી રીક્ષા પાછળ લીધી અને તેના પર ચડાવી અને બાદમાં નાસી ગયો હતો. જે ઘટનામાં વ્યક્તિનું મોત થયું. જેથી પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો દાખલ કરીને રીક્ષા ચાલકની શોધ ખોળ હાથ ધરી ધરપકડ કરી..

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રીક્ષા ચાલક સિંધુભવન તરફ રહેતો સમીર રઘુનાથ છે જે સમીરના ત્યાં પોલીસે પહોંચી તેની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં સમીરે કબૂલ્યું કે જે વ્યક્તિનું છે તેને તેને ટક્કર મારીને હત્યા કરી અને નાસી ગયો અને જ્યારે પોલીસે તેનું કારણ પૂછ્યું તો તેને જણાવ્યું કે મૃતકને લુણાવાડાથી કાલુપુર જવાનું હતું અને તે રિક્ષામાં બેઠો હતો. જ્યારે નરમપુરા ખાતે રીક્ષા ચાલકે એક પેસેન્જરને ઉતારીને આગળ વધ્યો ત્યાં મૃતકે પેશાબ કરવા જવાનું કહ્યું. જ્યાં રીક્ષા રોકી અને મૃતક પેશાબ કરવા ગયો અને રીક્ષા ચાલક પણ સાથે પેશાબ કરવા ગયો. જ્યાં બંનેની વાતચીતમાં મૃતકે ભાડું નહિ આપી શકે તેવું રીક્ષા ચાલકને જણાવ્યું હતું. ત્યારબાદ આ બાબતે બંને વચ્ચે વિવાદ થયો હતો. ભાડું ન આપવાને કારણે રીક્ષા ચાલકે વ્યક્તિની હત્યા કરી હતી.

નવરંગપુરામાં હત્યાની ઘટનાની અંદર પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી ગુનાનો ભેદ ઉકેલી કાર્યવાહી કરી. પરંતુ જે વ્યક્તિનું મોત થયું છે તે વ્યક્તિ કોણ છે તેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જેની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news