ગુજરાતી ન્યૂઝGujaratડેઈલી અપડાઉન કરનારા લોકો માટે ખુશખબર; અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઉમેરાશે આ 7 નવા મેટ્રો સ્ટેશન

ડેઈલી અપડાઉન કરનારા લોકો માટે ખુશખબર; અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઉમેરાશે આ 7 નવા મેટ્રો સ્ટેશન

GMRC: ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં 7 નવા મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સિવાય સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે.

ડેઈલી અપડાઉન કરનારા લોકો માટે ખુશખબર; અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઉમેરાશે આ 7 નવા મેટ્રો સ્ટેશન

Ahmedabad Metro: ગુજરાતમાં પ્રવાસ કરતા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. રાજ્યના અમદાવાદ અને ગાંધીનગરમાં 7 નવા મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ સિવાય સચિવાલય સુધી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવા જઈ રહી છે. આ માહિતી ખુદ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે આપી છે. GMRCએ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે મેટ્રો પરિવહન સેવાનો ઝડપથી વિસ્તરણ કરવામાં આવી રહ્યો છે.

Add Zee News as a Preferred Source

— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) April 25, 2025

7 નવા સ્ટેશન ઉમેરાયા!
GMRCએ જણાવ્યું કે ગુજરાત મેટ્રો ટ્રેન સેવા મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત આ રૂટ પર લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે 7 નવા આધુનિક સ્ટેશનો પણ ઉમેરવામાં આવ્યા છે. GMRC ની આ નવી મેટ્રો સેવા રવિવારથી શરૂ થશે. સચિવાલય તરફ જતો આ મેટ્રો રૂટ 27 એપ્રિલ 2025 થી શરૂ થશે. તેની શરૂઆત પછી મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડશે અને નવા સ્ટેશનો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ અને સેક્ટર-10ને જોડશે અને અંતે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચશે.

આ નવા રૂટ અને સ્ટેશનો પરની ટ્રેનોના સમયપત્રક અંગેની માહિતી વેબસાઇટ https://www.gujaratmetrorail.com પર આપવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કનેક્ટિવિટી
નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાથી ગુજરાતના બે સૌથી મહત્વપૂર્ણ શહેરો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી સીધી અને ઝડપી બનશે. આ સિવાય નવું સ્ટેશન શરૂ થવાથી વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. જેના કારણે તેમને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેમજ મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. કારણ કે હવે તેમને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવાની જરૂર નહીં પડે. મેટ્રો ટ્રેન સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ પર્યાવરણના રક્ષણમાં પણ મદદ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news