કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના! ભેંસોને બહાર કાઢવા જતાં 5 બાળકો ડૂબ્યાં, 4ના મૃતદેહો મળ્યા
કચ્છના અંજારમાં ન્હાવા માટે ગયેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર ઘટના અંગે જાણ થતાંની સાથે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જેમાં તરવૈયાની મદદથી ચાર બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: કચ્છનાં અબડાસા તાલુકાના ધમડકાના સીમાડે આવેલી હિંગોરજા વાંઢના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયાં હોવાની ઘટના સામે આવી છે. ભવાનીપર તરફ જતાં રોડ પર આવેલા તળાવમાં માલધારી હિંગોરજા પરિવારમાં દુર્ઘટના સર્જાઈ છે. પાણીમાં ફસાઈ ગયેલી ભેંસને બહાર કાઢવા જતાં એક પછી એક પાંચ બાળકો ડૂબી ગયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
બપોરની દુર્ઘટના બાદ સાંજે ચાર બાળકોના મૃતદેહ પાણી પર તરી આવતાં સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. આ કરુણ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. જેથી ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન 4 બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે જ્યારે એક બાળકની શોધખોળ હાલ ચાલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે