)
Ahmedabad To Gandhinagar : અમદાવાદમાં ઓલિમ્પિક રમાવાનું છે, એટલે આ શહેરની કાયાપલટ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદ પાસે એક એવો હાઈવે તૈયાર થઈ રહ્યો છે, જેમાં 34 કિલોમીટર સુધીના હાઈવે પર એક પણ ટ્રાફિક સિગ્નલ નહિ હોય. સિગ્નલ વગર આખો હાઈવે માત્ર 30 મિનિટમાં તમને પાર કરી દેશે.
અમદાવાદમાં સૌથી વ્યસ્ત હાઈવે એટલે એસજી હાઈવે. આ હાઈવે અમદાવાદ ગાંધીનગરને જોડે છે. ત્યારે એસજી હાઈવે ગુજરાતનો પ્રથમ સિગ્નલ ફ્રી હાઈવે બનવા જઈ રહ્યો છે. એકવાર જો તમે આ હાઈવે પર ચઢ્યા તો સડસડાટ 34 કિલોમીટર વગર કોઈ વિધ્ને પાર કરી દેશો. ગાંધીનગરથી સનાથલ ચોકડી સુધી સડસડાટ કોઈ અવરોધ વિના પહોંચી જશો.
આમાટે 850 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો
એસજી હાઈવે માટે નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે મુજબ આ હાઈવેની કાયાપલટ થઈ જશે. હાલ આ હાઈવે પર ટ્રાફિક જામ થવાની સમસ્યા છે, જેને કારણે રોજ લાખો વાહનો અટવાઈ પડે છે. પરંતુ આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા બાદ આવું નહિ થાય. આ આખો હાઈવે સિગ્નલ ફ્રી બની જશે. ટ્રાફિક ફ્રી બનાવવા માટે તેના પર કુલ 26 સિગ્નલ ફ્લાય ઓવર બનાવાશે.
શું શું ખાસ હશે
પેટ્રોલની બચત
આ પ્રોજેક્ટ તમારા પેટ્રોલની બચત કરશે. એકવાર જો તમારી ગાડી સડસડાટ નીકળી તો છેક સુધી પહોંચી જશે. તમારી ગાડી ક્યાંય વચ્ચે નહિ રોકાય. જેને કારણે તમારા ગાડીમાં પેટ્રોલની બચત થશે, અને તમારું બજેટ પણ ઘટી જશે. સાથે જ રોજ અમદાવાદથી ગાંધીનગર મુસાફરી કરતા લોકો માટે આ મુસાફરી આરામદાયક બની રહેશે.