ગુજરાતમાં બાળકોની સલામતી ક્યાં? 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને ફેંક્યા

સેલવાસના નરોલીમાં એક એપાર્ટમેન્ટમાંથી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષની બાળકીને રહેંસી દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં પોલીસે પાડોશી આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પણ છેડતીના બાબતે આરોપીને મેથીપાક મળી ચૂક્યો હતો. જોકે, સેલવાસની દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફરી વળી છે. 

ગુજરાતમાં બાળકોની સલામતી ક્યાં? 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને ફેંક્યા

નિલેશ જોશી/સેલવાસ :સેલવાસના નરોલીમાં એક એપાર્ટમેન્ટમાંથી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષની બાળકીને રહેંસી દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં પોલીસે પાડોશી આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પણ છેડતીના બાબતે આરોપીને મેથીપાક મળી ચૂક્યો હતો. જોકે, સેલવાસની દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફરી વળી છે. 

આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું 

બિલ્ડીંગની નીચે જ બાળકીની લાશ મળી 
સેલવાસના નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારની 3 વર્ષની બાળકી ગુમ થઈ હતી. ઘટના બાદ પરિવારે આસપાસ બાળકીની શોધખોળ ચલાવી હતી, છતાં બાળકી મળી ન હતી. તો સાથે પાડોશીઓએ પણ બાળકીની શોધ કરી હતી, પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસે તપાસ કરતા બિલ્ડીંગમાં રૂમ નંબર 109 ના બાથરૂમના બાજુએ કંઈક શંકાસ્પદ દેખાયું હતું. બાથરૂમના બારીના કાચ તૂટેલી હાલતમાં હતી. જેથી પોલીસની શંકા વધી હતી. ત્યારે બિલ્ડિંગની વચ્ચે આવેલ જગ્યામાં નીચે જોતા બાળકીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બાળકીને હત્યા એટલી નિર્દયી રીતે કરાઈ હતી કે, તેના ટુકડા કરી એક કોથળામાં ભરેલા હતા. 

આ પણ વાંચો : વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ 

દુષ્કર્મીએ બાથરૂમમાંથી લાશ નીચે ફેંકી 
પોલીસે રૂમ નંબર 109 માં રહેતા સંતોષ નામના શખ્સની પૂછપરછ કરતા તેણે હત્યા કરી હોવાનું કબૂલ્યુ હતું. આ બાળકીની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી લાશને સગેવગે કરી હતી. તેણે પોતાના બાથરૂમની બારીનો કાચ તોડી વચ્ચેની જગ્યાએથી બાળકીની લાશને ફેંકી દીધી હતી. પોલીસે સંતોષની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. 

ગુજરાતમાં બાળકોની સલામતી ક્યાં? 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને ફેંક્યા

રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો
આરોપી નરાધમ એટલો ક્રુર હતો કે, તે બપોરે ઘર પાસે રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો. તે બાળકીને પોતાની ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, ઠંડા કલેજે હત્યા કર્યા બાદ નરાધમ બિન્દાસ્ત સૂઈ ગયો હતો. પાડોશીઓ જ્યારે બાળકીને શોધી રહ્યા હતા ત્યારે કંઈ જાણતો ન હોવાનો ડોળ તેણે કર્યો હતો. 

અગાઉ પણ છેડતી કરતા લોકોએ મેથીપાક આપ્યો હતો
નરાધમ સંતોષે અગાઉ પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કર્યા હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. જ્યારે જે તે સમયે લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો. વિકૃત માનસિકતા ધરાવતા આ ઇસમને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવ્યો હોત તો આજે બીજી માસૂમ બાળકી ભોગ બનતા બચી શકી હોત. આ કિસ્સો દરેક સોસાયટી અને ચાલીના રહીશો માટે લાલ બત્તી સમાન છે.

બાળકીની હત્યા બાદ સ્થાનિકોનો આક્રોશ
આ ગોઝારી ઘટના બનતા સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. પોલીસે હાલ ટોળાને શાંત પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર કિસ્સાથી હવે સવાલ એ થાય છે કે, ગુજરાતમાં માસુમો સલામત નથી. ગુજરાતમાં છેડતી, હત્યા, મારામારીના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે હવે માસુમો પણ સલામત નથી. ગુજરાતમાં બાળકીઓ પર દુષ્કર્મ થવાના કિસ્સાઓ પણ સતત વધી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news