મહેમદાવાદની મેશ્વો નદીમાં ડૂબી જવાથી છ લોકોના મોત, નાહવા ગયા ત્યારે બની દુર્ઘટના

મહેમદાવાદની મેશ્વો નદીમાં ડૂબી જવાથી છ લોકોના મોત થયા છે. પ્રાથમિક વિગત અનુસાર મૃતકોમાં પાંચ લોકો અમદાવાદના નરોડાના રહેવાસી હતી. 

મહેમદાવાદની મેશ્વો નદીમાં ડૂબી જવાથી છ લોકોના મોત, નાહવા ગયા ત્યારે બની દુર્ઘટના

મહેમદાવાદઃ અમદાવાદની નજીક આવેલા મહેમદાવાદમાં આજે મોટી દુર્ઘટના સર્જાય છે. અહીંના કનીજ ગામ પાસે મેશ્વો નદીમાં ડૂબી જવાને કારણે છ લોકોના મોત થયા છે. અમદાવાદમાં રહેતા મામા-ફોઈના સંતાનો નદીમાં સ્નાન કરવા ગયા હતા, આ દરમિયાન ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે બધાના મોત થયા છે. ઘટનાની જાણ થતાં મહેમદાબાદ પોલીસ અને ફાયરની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી હતી.

મામા-ફોઈના સંતાનો ડૂબ્યા
પ્રાપ્ત વિગત અનુસાર મહેમદાવાદ નજીક કનીજ ગામે આવેલી મેશ્વો નદીમાં કિશોર, કિશોરી અને યુવતી સહિત છ લોકો ન્હાવા ગયા અને ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જવાને કારણે આ છ લોકોના મોત થયા છે. સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. સામે આવેલી વિગત અનુસાર મૃતકો અમદાવાદના રહેવાસી હતા. મ-તકોમાં જીનલ, દિવ્યા સોલંકી અને ફાલ્ગુની, યુવક ધ્રુવ અને મયુર આ બધા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હતા. જ્યારે ભૂમિકા નામની એક યુવતી કનીજમાં રહેતી હતી.

આ બનાવની જાણ થતાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આસપાસના લોકોને પણ આ ઘટનાની જાઁ થતાં લોકો નદી કિનારે પહોંચ્યા હતા. આ ઘટનાને કારણે કનીજ ગામમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે વાત કરતા ધારાસભ્ય અર્જૂનસિંહે જણાવ્યુ કે ડૂબી ગયેલા છ લોકોમાં કેટલાક અમદાવાદના નરોડા વિસ્તારના છે. ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news