)
Aravalli Shamlaji Temple Darshan Timings: અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં પૂર્ણિમા અને ચંદ્રગ્રહણને કારણે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ, મંદિર સવારે એક કલાક વહેલું ખુલશે અને સાંજે નિયત સમય કરતાં અઢી કલાક વહેલું બંધ થશે. શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
દર્શનના નવા સમયપત્રકની વિગતો
ચંદ્રગ્રહણના કારણે દર્શનના સમયમાં ફેરફાર થવાથી ભક્તોને અગવડ ન પડે તે માટે અહીં વિગતવાર સમયપત્રક આપેલું છે:
મંદિર બંધ થવાનો સમય: સવારે 11:30 કલાકે
ગ્રહણ બાદ રાબેતા મુજબ દર્શન
મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યા અનુસાર, પૂર્ણિમાના બીજા દિવસે મંદિરનું પ્રક્ષાલન (શુદ્ધિકરણ) કરવામાં આવશે. ત્યારબાદ દર્શન ફરીથી રાબેતા મુજબના નિયમિત સમયે શરૂ થશે. ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે આ ફેરફારને ધ્યાનમાં રાખીને જ દર્શને આવે જેથી કોઈ અગવડતા ન થાય.