લોહીથી ખરડાયેલી લાશ, આંખે-મોઢે-કપાળે તીક્ષણ હથિયારના ઘા, જાણો ભાઈના હાથે ભાઈની હત્યા કેમ થઈ?
રાજકોટના જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાથી કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન આ બનાવમાં ક્રાઈમ બ્રાન્ચે ઝંપલાવી અનેક લોકોની પુછપરછ કરી મૃતકના મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના જામગઢમાં એક સપ્તાહ પૂર્વે વાડીએ સુતેલા યુવાનની કોઈ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા નવો ખુલાસો થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે અનેક લોકોની પુછપરછ કરતા મૃતકના મોટાભાઈ શંકાના દાયરામાં આવ્યા હતા. પોલીસે આગવી ઢબે પુછતાછ કરતા હત્યાના કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. પોતે જ નાનાભાઈને મોતને ઘાટ ઉતારી દઈ ખોટી સ્ટોરી ઘડી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનું સામે આવ્યું હતું.
જામગઢ ગામે રહેતા અને ખેતીવાડી કરતા વિનુભાઈ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાએ કુવાડવા રોડ પોલીસમાં અજાણ્યા સામે તેના ભાઈ મુકેશ વાવડીયાની હત્યા અંગે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમો ચાર ભાઈ-બહેન છીએ. જેમાં નાનો મુકેશ વેલાભાઈ વાવડીયા(ઉ.૩૩)હતો.પરિવાર સાથે જમી મુકેશ બહાર ગયો હતો.અને રાત્રીના વાડીએ સુવા જતો રહે છે. હું પણ જમીને ગામમાં પાનની કેબીને બીડી લેવા ગયો હતો.અને થોડીવાર ત્યાં બેસી પરત ઘરે આવી સુઈ ગયેલ હતો.
વહેલી સવારે ૬ વાગ્યે ચા-પાણી પી ગાયને દોહી સવારે ૭ વાગ્યે ઘરેથી વાડીએ ગયેલ ત્યારે ભાઈ મુકેશ વાડીએ ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલ તેને મોઢે-આંખે અને કપાળના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંક્યા હોવાના નિશાન જોવા મળ્યા હતા.જેથી પત્નિને વાત કરી ધનજીભાઈને વાડીએ આવવાનું કહેતા તેઓ આવી ગયેલ બાદ મે મારા ફોનમાંથી પોલીસ અને 108ને જાણ કરતા દોડી આવેલ અને ભાઈ મુકેશને તપાસી મૃત જાહેર કર્યો હતો.જેથી પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો.આમ કોઈ અજાણ્યા શખસોએ નાનોભાઈ વાડીએ સુતો હતો ત્યારે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝંપલાવતા ફરિયાદી જ હત્યારો હોવાનું ખુલતાં મોટાભાઈને સકંજામાં લઈ આકરી ઢબે પુછતાછ કરતા મૃતક મુકેશ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી અવાર-નવાર ઘરમાં દારૂ પી આવી ઘમાલ મચાવતો અને મા-બાપને મારકુટ કરતો હોવાથી મોટાભાઈએ જ મૃતક વાડીએ સુવા ગયો હતો. ત્યારે પાછળથી જઈ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી કાંટો કાઢી નાંખ્યો હતો.પોતાના પર કોઈ શંકા ન કરે તે માટે ભાઈનું વાડીએ ઢીમ ઢાળી દઈ પરત ઘર આવી સુઈ ગયો હતો. પરંતુ ક્રાઈમબ્રાંચના સ્ટાફે મોટાભાઈ વિનુ ઉર્ફે વિનો વેલાભાઈ વાવડીયાની ધરપકડ કરી હત્યાનો એક સપ્તાહ બાદ ભેદ ઉકેલી નાખ્યો છે.
રાજકોટમાં દારૂના નશામાં ધૂત રહેતા ભાઈને ભાઈએ જ મોતને ઘાટ ઉતારી દેતા ભરે ચકચાર મચી છે. જોકે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખી આરોપીને જેલના સળિયા ગણતો કરી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે