મહેસાણા જિલ્લાની અનાથ દીકરી માટે વરદાનરૂપ બની સરકારી યોજના, લગ્ન માટે મળ્યા 2 લાખ
ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ અનાથ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે.
Trending Photos
મહેસાણાઃ અનાથ, નિરાધાર, તરછોડાયેલા કે કુટુંબ વિનાના બાળકોના રક્ષણ માટે ગુજરાત સરકારની એક યોજના છે. જેનું નામ છે - પાલક માતા પિતા યોજના . આ યોજના નિરાધાર બાળક માટે આધારરૂપ બની રહી છે. મહેસાણા જિલ્લાના નુગર ગામની એક દીકરી માટે કેવી રીતે આ યોજના વરદાનરૂપ બની, જોઈએ આ વિશેષ અહેવાલમાં.
મહેસાણા જિલ્લાના નુગર ગામમાં રહેતી પાયલે નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સંજોગોમાં પાયલ અને તેના ભાઈ-બહેનો માટે ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના આધારરૂપ બની.
પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકને માસિક રૂ. 3000/-ની સહાય મળે છે. આ રકમ સીધી લાભાર્થીના ખાતા માં જમાં થાય છે. આ ઉપરાંત, લગ્ન સમયે લાભાર્થી દીકરીઓને ₹2 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા જિલ્લાની સમાજ સુરક્ષાની કચેરીમાં અરજી કરવાની રહે છે.
મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આવા 825 બાળકોને ₹3,000 દર મહિને મળે છે. આ જિલ્લામાં અત્યાર સુધીમાં 652 પાયલ જેવી દીકરીઓને લગ્ન માટે ₹2 લાખની સહાય આપવામાં આવી છે.
આશાના કિરણ સમાન આ યોજનાઓ અનાથ બાળકો માટે આત્મસન્માન, ભણતર અને સશક્તિકરણનો પર્યાય બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે