મહેસાણા જિલ્લાની અનાથ દીકરી માટે વરદાનરૂપ બની સરકારી યોજના, લગ્ન માટે મળ્યા 2 લાખ

ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ અનાથ બાળકોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય ચુકવવામાં આવે છે.
 

 મહેસાણા જિલ્લાની અનાથ દીકરી માટે વરદાનરૂપ બની સરકારી યોજના, લગ્ન માટે મળ્યા 2 લાખ

મહેસાણાઃ અનાથ, નિરાધાર, તરછોડાયેલા કે કુટુંબ વિનાના બાળકોના રક્ષણ માટે ગુજરાત સરકારની એક યોજના છે. જેનું નામ છે - પાલક માતા પિતા યોજના . આ યોજના નિરાધાર બાળક માટે આધારરૂપ  બની રહી છે. મહેસાણા જિલ્લાના નુગર ગામની એક દીકરી  માટે કેવી રીતે આ યોજના  વરદાનરૂપ બની, જોઈએ આ વિશેષ અહેવાલમાં.

મહેસાણા જિલ્લાના નુગર ગામમાં રહેતી પાયલે નાની ઉંમરે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ સંજોગોમાં  પાયલ અને તેના ભાઈ-બહેનો માટે ગુજરાત સરકારની  પાલક માતા-પિતા યોજના આધારરૂપ બની.

પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ બાળકને માસિક રૂ. 3000/-ની સહાય મળે છે.  આ રકમ સીધી લાભાર્થીના ખાતા માં જમાં થાય છે. આ ઉપરાંત, લગ્ન સમયે લાભાર્થી દીકરીઓને ₹2 લાખની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા જિલ્લાની સમાજ સુરક્ષાની કચેરીમાં અરજી કરવાની રહે છે.

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં  આવા 825 બાળકોને ₹3,000 દર મહિને મળે છે. આ જિલ્લામાં અત્યાર સુધીમાં 652 પાયલ જેવી દીકરીઓને લગ્ન માટે ₹2 લાખની સહાય આપવામાં આવી છે.

આશાના કિરણ સમાન આ યોજનાઓ અનાથ બાળકો માટે આત્મસન્માન, ભણતર અને સશક્તિકરણનો પર્યાય બની છે.             
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news