મહેસાણાના આ ગામમાં જમીન કૌભાંડથી ખળભળાટ, ગૌચરની જમીન બારોબાર વેચાઈ ગઈ
મહેસાણા જિલ્લાના આખજ ગામમાં ગૌચર જમીનના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં અધિકારીઓ પણ સામેલ હોવાની ચર્ચા છે. ત્યારે તમે પણ જાણો શું છે આ સમગ્ર જમીન કૌભાંડ..
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ કોઈની જમીન કોઈને બારોબાર વેચી મારવાના તો તમે અનેક કૌભાંડ સાંભળ્યા હશે કે જોયા હશે...પણ વાત એક એવા જમીન કૌભાંડની કરીશું જેમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે, કોર્ટને અંધારામાં રાખવામાં આવી, કલેક્ટર ગંદ પણ ન આવે તેવી રીતે બારોબાર જમીન વેચી દેવાઈ...એ જમીન પણ પાછી ગૌચર જમીન...ત્યારે શું છે આ સમગ્ર કૌભાંડ?...ગૌચર જમીન કોણ ખાઈ ગયું?...કોણ છે આરોપી?...જુઓ આ અહેવાલમાં....
આ છે મહેસાણા જિલ્લામાં આવેલું આખજ ગામ...આ ગામની પ્રતિષ્ઠા ગુજરાત જ નહીં પરંતુ વૈશ્વિક છે કારણ કે આ ગામમાંથી અનેક લોકો વિદેશમાં વસવાટ કરે છે. ડોલરિયા ગામ તરીકે ઓળખતા આખજ ગામમાં એક મોટું જમીન કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ અને કૌભાંડીની મિલીભગતથી કરોડો રૂપિયાની ગૌચર જમીન બારોબાર વેચાઈ ગઈ...પરંતુ ગામના જાગૃત નાગરિકોને ખ્યાલ આવતાં ત્વરિત તંત્રમાં રજૂઆત કરી તો આખો ફાંડો ફૂટી ગયો....
આખજ ગામના જૂના સર્વે નંબર 90મા ગૌચર જમીનની બાજુમાં જ જિલુજી અમરસિંહ ચાવડા નામના એક ખેડૂતની જમીન છે. આ ખેડૂતે રિ સર્વે કરાવી અને સર્વેયર સાથે સેટિંગ કરીને ગૌચરને પોતાની જમીન હોવાનું કાગળ પર સાબિત કર્યું....આ માટે આ કૌભાંડીએ 3 જૂન 2017ના દિવસે પ્રમોલગેશનથી હુકમ કરાવી ગૌચર પર કબજો કરી લીધો. ત્યારબાદ સપ્ટેમ્બર 2020માં 4 વીઘા ગૌચર અને પોતાની માલિકીની 22 વીઘા જમીન શકરી બેન દેવીપૂજકને 2 કરોડ 25 લાખમાં વેચાણ દસ્તાવેજથી આપી દીધી..અને એક વર્ષ બાદ વેચાણ નોંધ પણ પડાવી દીધી...પરંતુ ગ્રામજનોને જ્યારે આ કાળા કાંડની ખબર પડી તો પ્રાંત ઓફિસરને લેખિત ફરિયાદ કરી...પ્રાંત અધિકારીએ વેચાણ નોંધ રદ કરવા હુકમ કર્યો...
શું છે સમગ્ર ઘટના?
આખજમાં ગૌચર જમીનની બાજુમાં જ જિલુજી અમરસિંહ ચાવડાની જમીન
રિ સર્વે અને સર્વેયર સાથે સેટિંગથી ગૌચરને પોતાની હોવાનું સાબિત કર્યું
જૂન 2017એ પ્રમોલગેશનથી હુકમ કરાવી ગૌચર પર કબજો કરી લીધો
જમીન શકરીબેન દેવીપૂજકને 2.25 કરોડમાં વેચાણ દસ્તાવેજથી આપી દીધી
એક વર્ષ બાદ વેચાણ નોંધ પણ પડાવી દીધી
તો જમીન ખરીદનારે કલેક્ટર અને મહેસાણા કોર્ટમાં દાવો કર્યો. તો વેચાણ કરનાર અને ખરીદનારે ફરીથી નોંધ દાખલ કરવા દાદ માગી...તો આ કેસમાં કોર્ટેન પણ અંધારામાં રાખવાનો અરજદારોએ આક્ષેપ લગાવ્યો છે...પ્રાંતનો હુકમ છુપાવી કલેકટર અને કોર્ટને ગુમરાહ કર્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. કૌભાંડના આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કેસ દાખલ કરવા લેખિત ફરિયાદ કરી છે. ..તો આ સમગ્ર કૌભાંડથી અજાણ કલેક્ટરે આશ્વાસન આપ્યું છે કે જો કંઈ ખોટું થયું હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનામાં અનેક સવાલો થઈ રહ્યા છે. અને આ સવાલો સીધા વહીવટી તંત્ર સામે છે. સબ રજિસ્ટ્રારે ઉતારા કે નોંધો જોયા વગર દસ્તાવેજ નોંધી દીધો?, નોંધણી કરનારે કેમ 1952થી ઉતારા નોંધો ન જોઈ?, શું આ કૌભાંડમાં DILR અને રજિસ્ટ્રાર ની મિલીભગત છે?, આવા તો અનેક સવાલ છે જે અધિકારીઓ સામે શંકા ઉપજાવી રહ્યા છે...જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે?.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે