રાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ

દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ગુજરાતમાં વધુ 3 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અત્યાર સુધી કોરોનાના 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જામનગરની લેબમાં રાજકોટના 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

રાજકોટમાં કોરોના વધુ 3 કેસ આવ્યા પોઝિટિવ, રાજ્યમાં કુલ 47 કેસ

મુસ્તાક દલ, જામનગર: દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. ગુજરાતમાં વધુ 3 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અત્યાર સુધી કોરોનાના 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જામનગરની લેબમાં રાજકોટના 3 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે. તો દેશભરમાં કોરોના વાયરસના 724થી વધુ કેસ નોંધાયા છે.

રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી
આજે જામનગરની લેબમાં આજે કુલ 18 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના 11 સેમ્પલ, પોરબંદર જિલ્લાના 4 સેમ્પલ, જામનગરના 2 સેમ્પલ અને મોરબીમાંથી 1 સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 15નો રિપોર્ટ નેગેટિવ અને 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાં 37 વર્ષના બે પુરૂષ અને 35 વર્ષિય મહિલાના સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. આ સાથે રાજકોટમાં કોરોના પીડિતોની સંખ્યા 8 પર પહોંચી ગઈ છે.

ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
ગુજરાતમાં કોરોના પીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 47 કેસ પોઝિટિવ છે. જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 8 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓfacebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news