અમદાવાદીઓ માટે મોટી ખબર, આજથી AMTS બસો BRTS કોરિડોરમાં દોડશે

Ahmedabad Traffic Alert : ટ્રાફિકના ભારણને દૂર કરવા AMTSનો મહત્વનો નિર્ણય, હવે AMTSની બસો BRTS રૂટ પર દોડશે

અમદાવાદીઓ માટે મોટી ખબર, આજથી AMTS બસો BRTS કોરિડોરમાં દોડશે

Ahmedabad News : અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મોટો નિર્ણય લેવાયો છે. અગાઉ કરાયેલા સફળ પ્રયોગ બાદ હવે AMTS ની બસો BRTS કોરિડોરમાં દોડશે. 5 રૂટની વધુ 49 amts બસ હવે brts કોરીડોરમાં દોડશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. રસ્તાઓ સાંકડા અને વાહનોનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે AMTS ની મહત્તમ બસો BRTS કોરિડોરમાં દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 

અમદાવાદમાં અનેક વિસ્તારોમાં બીઆરટીએસ કોરિડોર છે, જેમાં અત્યાર સુધી માત્ર BRTS બસો જ દોડતી હતી, જ્યારે કે AMTS બસો બહારની બાજુ રસ્તા પર દોડતી હતી. શહેરના કેટલાક રસ્તાઓ તેમજ નદી પારનાં વિસ્તારોમાં સાંકડા રોડ અને કોરીડોરનાં કારણે ટ્રાફિકજામ થવાની સમસ્યા વકરી ગઇ છે. તેથી કોરીડોરની બહાર દોડતી પાંચ રૂટની એએમટીએસની ૪૯ બસોને BRTS કોરિડોરમાં દોડાવવાનો નિર્ણય લેવાયો છે. 

તેથી બસમાં મુસાફરી કરતા લોકોએ ખાસ ધ્યાન રાખવું કે હવેથી AMTS બસ ફુટપાથ પર બનાવાયેલા બસ સ્ટેન્ડને બદલે બીઆરટીએસ સ્ટેશન પર જઈને બસ પકડવાની રહેશે. 

BRTS બસ સ્ટેન્ડ પરથી AMTS બસની ટિકીટ નહીં મળે. AMTS બસની ટીકીટના જે ભાવ છે તેમાં કોઇ ફેરફાર નથી. જે લોકોએ પાસ કઢાવેલા છે તે પાસ પણ માન્ય રહેશે. 

જો આ નિર્ણય સફળ રહ્યો અને ટ્રાફિક પર ભારણ ઘટ્યુ તેમજ મુસાફરોને સરળતા રહી તો પછી આવનારા દિવસોમાં તમામ બસો BRTS કોરિડોરમાં દોડતી જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news