જગતનો તાત હાર્યો! સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયામાં ચાર ખેડૂતોએ જિંદગી ટૂંકાવી લીધી

Gujarat Farmers Suicide : રાજકોટના 2 ખેડૂતોએ કર્યો આપઘાત... વીછિયાના રહેવાણિયાના દાનાભાઈ જાદવે તો અરડોઈ ગામના દિલીપભાઈ વીરડિયાએ કર્યો આપઘાત... પોલીસે શરૂ કરી તપાસ...
 

જગતનો તાત હાર્યો! સૌરાષ્ટ્રમાં એક અઠવાડિયામાં ચાર ખેડૂતોએ જિંદગી ટૂંકાવી લીધી

Rajkot News : સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લાં એક અઠવાડિયામાં ચાર ખેડૂતોના આપઘાતથી ચકચાર મચી ગઈ. દ્વારકા અને ઉનામાં બે ખેડૂતોના આપઘાત બાદ રાજકોટના બે ખેડૂતોએ આપઘાત કરી મોત વ્હાલુ કર્યું છે. 

રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થયું છે. મોટાભાગના બધા ખેડૂતો દેવાદાર બની ગયા છે. સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ પણ જાહેર કર્યું છે. જેમાં 16 હજાર ગામના 13 લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22 હજાર વળતર ચૂકવાશે પરંતુ આ વળતર મળે ને ખેડૂત દેવાંમાંથી ક્યારે બહાર આવે તે કહી શકાય એવું નથી. કારણ કે દરેક ખેડૂતની વિકટ સ્થિતિ અલગ અલગ છે એટલે બધા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 

Add Zee News as a Preferred Source

અરડોઈ ગામના ખેડૂતનો આપઘાત
અરડોઈ ગામના ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ આપઘાત કર્યો છે. કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં દિલીપભાઈ ચિંતામાં રહેતા હોવાનો પરિવારનો દાવો છે. ખેડૂતના આત્મહત્યાના કારણ અંગે કોટડા સાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે. મૃતકનું સિવિલ હોસ્પિટલમાં પી.એમ કરાવવામાં આવ્યું છે. 

વિછીયાના રહેવાણીયા ગામે ખેડૂતનો આપઘાત
માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતા દાનાભાઈ રામજીભાઈ જાદવ નામના આધડે આપઘાત કર્યો હોવાનો પરિવારનો દાવો છે. ખેડૂતે પોતાના ઘરમાં દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું છે. મૃતકે 14 વીઘા તુવેર અને મગફળીનું વાવેતર કર્યું હતું. ખેડૂત પાક નુકસાન થતા આર્થિક સંકટમાં આવતા આપઘાત કર્યો  હોવાની પરિવાર પાસેથી માહિતી મળી છે. પાક નુકસાનને લઇ આત્મહત્યા કરી છે કેમ તે અંગે વિંછીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકાના ખેડૂતનો આપઘાત - 3 નવેમ્બર
દ્વારકાના ભાણવડના માનપર વિસ્તારના 37 વર્ષીય કરસનભાઈ વાવનોટિયાએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદથી પાક બરબાદ થતા ખેડૂત પર આર્થિક સંકટ તૂટી પડ્યું હુતં. ગોલ્ડ લોન લઈને ખરીદેલું બિયારણ વરસાદથી નાશ પામતાં કરસનભાઈને ભારે નુકસાન થયું હતું. તેથી માનસિક તણાવ અને નિરાશામાં આવી ખેડૂતે અંતિમ પગલું ભર્યુ હતું. 

ઉનાના ખેડૂતનો આપઘાત - 3 નવેમ્બર
ગીરસોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. રેવદ ગામના 49 વર્ષીય ખેડૂત  ગફાર.મુસા ઉનડે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂતે આપઘાત માટે ખતરનાક રીતનો ઉપયોગ કર્યો હતો. તેણે કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટૂકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો.ખેડૂતની શોધખોળ કરાઈ હતી. જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે ખેડૂતનો શર્ટ, મોબાઈલ અને બૂટ કૂવાની ઓરડી પાસે મળી આવ્યા હતા. શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું. ત્યારે મૃતહાલતમાં ખેડૂત મળી આવ્યો હતો. પાક નિષ્ફળ જતાં ખેડૂત ગફાર ઉનડે છેલ્લા દસેક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા. તેમણે મંડળીમાંથી 2 લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીઓની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી. આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news