)
Supreme Court on Ahmedabad AI Crash: અમદાવાદમાં એર ઈન્ડિયા પ્લેન ક્રેશ પર સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં પાયલટના ઈંધણ કટ-ઓફનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે અતિ દુર્ભાગ્યપૂર્ણ કહ્યું છે. એક રિપોર્ટમાં પાયલટ દ્વારા એન્જિનનું ફ્યુલ બંધ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી છે, સાથે મામલાની સ્વતંત્ર તપાસની માંગ કરી છે.
સ્વતંત્ર તપાસની માંગ
કોર્ટે ‘AI 171 ક્રેશ’ મામલામાં સુપ્રીમ કોર્ટે 'પાયલટની ભૂલ' વાળી વાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કેન્દ્ર સરકાર અને ડીજીસીએ (Directorate General of Civil Aviation) ને આ ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરનારી અરજી પર જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંહની બેંચએ કહ્યુ કે નિષ્પક્ષ તપાસની માંગ યોગ્ય છે, પરંતુ તપાસ પૂર્ણ થાય તે પહેલા બધી જાણકારી જાહેર કરવામાં સમસ્યા થઈ શકે છે. જો સીધી રીતે કહેવામાં આવે કે પાયલટ દોષી છે તો તેના પરિવારને ભારે નુકસાન થશે.
સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી
આ સિવાય સુપ્રીમ કોર્ટે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો પાસે પણ જવાબ માંગ્યો છે. આ બ્યુરોએ જુલાઈમાં પોતાનો શરૂઆતી રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા છે. રિપોર્ટ પ્રમાણે કોકપિટ ઓડિયો રેકોર્ડિંગમાં કેપ્ટન સુમીત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરની વાતચીત સાંભળવા મળી હતી. તેમાં એક પાયલટે પૂછ્યુ 'તમે કટ ઓફ કેમ કર્યું?' તો બીજાએ જવાબ આપ્યો, 'મેં નથી કર્યું.' આ વાતચીતના આધાર પર તે અટકળો લગાવવામાં આવી કે દુર્ઘટના પાયલટની ભૂલને કારણે થઈ હતી.
સુપ્રીમ કોર્ટમાં કેમ પહોંચ્યો પ્લેન ક્રેશનો મામલો
એવિએશન સેફ્ટી સાથે જોડાયેલા NGO સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરી હતી. તેનો આરોપ છે કે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં ઘણી મહત્વની જાણકારી છુપાવી રહ્યું છે અને તેનાથી લોકોના જીવન, સમાનતા અને સાચી જાણકારી મેળવવાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. આ સિવાય તે પણ કહેવામાં આવ્યું કે રિપોર્ટની અંદર સિસ્ટમની ખામીઓને નજરઅંદાજ કરવામાં આવી છે. એનજીઓએ કહ્યું કે ઉતાવળમાં પાયલટને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
'જેના પર સવાલ ઉઠી રહ્યાં છે, તે તપાસ કરી રહ્યાં છે'
અરજીકર્તા તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યુ કે દુર્ઘટનાને 100 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી માત્ર પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે. તેમાં તે ન જણાવવામાં આવ્યું કે હકીકતમાં શું થયું અને આગળ શું સાવચેતી રાખવી જોઈએ. વકીલે તે પણ કહ્યુ કે દુર્ઘટનાની તપાસ માટે બનેલી 5 સભ્યોની ટીમમાં 3 લોકો DGCA (એવિએશન રેગુલેટર) ના જ કર્મચારી છે, એટલે કે જે સંગઠન પર સવાલ ઉઠી રહ્યાં છેત તે તપાસ કરી રહ્યાં છે. આ સ્પષ્ટ રીતે હિતોનો ટકરાવ છે.
અમદાવાદ વિમાન દુર્ઘટના ક્યારે બની?
12 જૂન,2025 ના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, એક બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, વિમાન રનવે પરથી ઊંચાઈ ગુમાવી બેઠું અને નજીકના બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું. વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા. કમનસીબે, આ અકસ્માતમાં બધાના મોત થયા હતા, જેમાં ફક્ત એક જ મુસાફર, એક બ્રિટિશ નિવાસી, બચી ગયો હતો. એવો દાવો કરવામાં આવે છે કે બચી ગયેલો મુસાફર ઇમરજન્સી બારી પાસે બેઠો હતો. વધુમાં, જમીન પર રહેલા 19 લોકોએ પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો, જેમાં વિમાન જ્યાં ક્રેશ થયું તે હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.