Kutch નો આ જળસંચય ઉપાય દેશ-વિદેશ માટે બનશે પ્રેરણાદાયી , 300 એકર જમીનમાં જળ સંગ્રહ કરાશે

આગામી સમયમાં “ ખાલીખમ કચ્છ કે દુષ્કાળિયા કચ્છ “ ને બદલે “હરિયાળા કચ્છ “ તરીકેની નામના મેળવી શકે તેમ છે.

Kutch નો આ જળસંચય ઉપાય દેશ-વિદેશ માટે બનશે પ્રેરણાદાયી , 300 એકર જમીનમાં જળ સંગ્રહ કરાશે

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છ (Kutch) જીલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી છે, કચ્છ (Kutch) જીલ્લામાં વરસાદ આધારિત ખેડૂતો ખેતી કરે છે. છેલ્લા થોડા વર્ષોથી અનિયમિત અને ઓછો વરસાદ કે વધુ પડતો વરસાદ પડતા પાણીની સમસ્યા વિકટ બનતી બની છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે કચ્છ (Kutch) ના નખત્રાણા તાલુકાના રામપર (સરવા) ગામના લોકોએ જળસંચય નું અભિયાન ચાર વર્ષથી શરૂ કર્યું છે.

સરકાર (Government) ની કોઇપણ જાતની મદદ વગર ગ્રામજનો દ્વારા ગામમાં ચેકડેમ બાંધવામાં આવ્યા છે. સાથે જ ગત વર્ષે વરસાદી પાણીને જુના કુવા અને બોરમાં ઠાલવવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રામજનો દ્વારા શરૂ કરવામાં આવેલા જળક્રાંતિ અભિયાનને ખુબ જ સારી સફળતા મળી છે.

25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરાયું
રામપર (સરવા) ગામના પાટીદાર (Patidar) ભાઈઓ દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન રામપરના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીનો વધુ ને વધુ જળસંગ્રહ થાય તે માટે સમયાંતરે તળાવોને ઊંડા ઉતારવાનું કાર્ય પણ પૂર જોશમાં કરવામાં આવી રહ્યા છે.

માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે જળસંચયના કાર્યો
ગામના અગ્રણી હાલે સુરત રહેતા કરસનભાઇ પટેલ અને હરજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ધંધાર્થે તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર (Maharashtra) જેવા વિવિધ રાજ્યોની મુલાકાત લેવી પડે છે. પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે જળસંચયના કાર્યો કરાઇ રહ્યા છે. પાણીના સંગ્રહ માટે તળાવ કે ડેમ બનાવવામાં આવ્યા તેના કારણે ભૂગર્ભ જળનું સ્તર વધ્યું છે, કચ્છમાં ખેતી પર નભતા પરિવારોની સંખ્યા વિશેષ છે,આવી પરિસ્થિતિમાં ખેતી માટે પાણી મળી રહે તો કચ્છ નંદનવન બની શકે.

આ વર્ષે 300 એકર જમીનમાં જળ સંગ્રહ થશે
ચાલુ વર્ષે પણ ચેકડેમ (Check Dam) અને તળાવો બનાવવાની કામગીરી ચાલુ છે. સ્વ ખર્ચે જળ સંચય અભિયાનના કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભ જળ સંચય હેઠળ આ વર્ષે 300 એકર જમીનમાં જળ સંગ્રહ થશે. અત્યાર સુધી 30 લાખનો ખર્ચ કરાયો છે જેમાં બહાર વસતા મૂળ કચ્છી વતન પ્રેમીઓનું આ ઝુંબેશ માં સિંહફાળો છે.

જળ સમસ્યા સામે લડવા આ પ્રકારના ઉપાય દેશ વિદેશ માટે પણ પ્રેરણાદાયી
દરેક સમાજ અને દરેક ગામના લોકો દ્વારા આ રીતે જળ સંચય કરવામાં આવે તો આવનારા સમયમાં પાણીની સમસ્યાથી છુટકારો મળી શકે તેમ છે. આગામી સમયમાં “ ખાલીખમ કચ્છ કે દુષ્કાળિયા કચ્છ “ ને બદલે “હરિયાળા કચ્છ “ તરીકેની નામના મેળવી શકે તેમ છે. ગામના તમામ ખેડૂતો, ગૌસેવા સમિતિ, સરપંચ તેમજ  અન્ય અગ્રણીઓ જહેમત ઊઠાવી રહ્યા છે, અને બહાર વસતા મૂળ ગામના સ્વજનો આ જળ સંગ્રહ અભિયાન માટે દાતાઓ દ્વારા અપાયેલા સહકારથી ચાલતી આ પ્રવૃત્તિ સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તાર માટે મિશાલ રૂપ છે. જળ સમસ્યા સામે લડવા આ પ્રકારના ઉપાય દેશ વિદેશ માટે પણ પ્રેરણાદાયી છે.

આ સાથે કચ્છ (Kutch) ના અન્ય સમાજ તેમજ સમસ્ત મહાજનના ગીરીશભાઈ, રાજેશભાઇ સહિતના જૈન મહાજન અગ્રણીઓ પણ સારો એવો સહયોગ આપી રહ્યા છે. તો આ કામ અંગે પાણી સંચયની કામગીરી એક મિશાલ બની રહેશે એવું ગામના યુવાન ભાવિક સેવકે ZEE 24 કલાક ને જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news