)
Ahmedabad News ; અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પરિવારનો વિખવાદ બહાર આવ્યો છે. મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર મહારાજના પુત્ર વજેન્દ્ર પ્રસાદે પત્ની અને સાસરિયાઓએ 100 કરોડ માંગ્યાની પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે વજેન્દ્ર પ્રસાદે ફરિયાદમા શુ શું કહ્યું, તેની એફઆઈઆરની કોપી સામે આવી છે.
28 વર્ષીય વજેન્દ્રપ્રસાદ કોશેન્દ્રપ્રસાદ પાંડેએ ફરિયાદમા જણાવ્યું કે, ખૂબ ટુંકા સમયમાં શશીકાંત તિવારી દ્વારા આ લગ્ન ખુબ જ જલ્દી આયોજિત કરવા મને તથા મારા પરિવારના સભ્યોને વારંવાર દબાણ પણ કરવામાં આવ્યું. આ ભાબતે મને અજુકતુ લાગતુ હોવા છતાં તેઓની સામાજીક પ્રતિષ્ઠાને ધ્યાનમાં લઈ અમે તેમની માંગણી સ્વીકારી હતી. 25 મે, 2024 ના રોજ પ્રયાગરાજ ખાતે મારી અને અવંતીકાની સગાઈ કરવામાં આવી હતી. સગાઈના ત્રણ મહિના પછી 11 જુલાઈ, 2024 ના રોજ અલ્હાબાદ પ્રયાગરાજ ખાતે હિન્દુ વિષિ વિધાન પ્રમાણે લગ્ન કરવામાં આવ્યા હતા.
લગ્ન બાદ બાલી ખાતે અમે હનીમુન માટે ગયા હતા. પહેલા જ દિવસે અવંતિકા રૂમમાં ખાવાનું ઓર્ડર કર્યા બાદ જમીને સૂઈ ગઈ હતી. બીજે દિવસે હું બપોરે આશરે ૧૨ વાગ્યે ખુબ જ અસ્વસ્થ તબિયત અને અત્યંત માથામાં દુખાવો હોવાનુ જણાવ્યુ હતું. ત્યાં એક દિવસ અવંતીકા એની બેગમાંથી વસ્તુઓ કાઢવા જતા તેની બેગમાંથી એક સફેદ રંગના પાવડર જેવા પ્રદાર્થની પારદર્શક પોટલી તેની બેગમાંથી નીચે પડી જતા મેં મને અજુકતું લાગ્યુ હતું. મેં આ વિશે અવંતીકાને પુછતા તેણે ગભરાયેલા અવાજે મને એ પાવડર તેની આયુર્વેદિક દવા છે. આ બાદ રૂમના બાલ્કનીમાંથી મારી નજર પડી કે, ઓર્ડર કરેલા ભોજનમાં અવંતીકા મારા ફુડમાં એ સફેદ પાવડર નાખી રહી છે. મેં નજર ચૂકવીને સૂપને ઢોળી દીધું હતું.
તેમણે આગળ કહ્યુ કે, લગ્ન પછી અવંતીકાનુ વર્તન અજુગતુ અને અપારિવારિક લાગતું હતું. તે વારંવાર મારી પાસેથી રૂપિયાની માંગણી કરતી હતી. મેં કારણ પૂછતા ભાઈના એજ્યુકેશન માટે રૂપિયાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આમ, અલગ અલગ દિવસે તેણે મારી પાસેથી 11 લાખ રૂપિયા લીધા હતા. મને આ બધુ ખૂબ જ અજુકતું થાવતું હોવા છતાં લગ્ન જીવનને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવા માટે મે અવંતીકા સાથે દુબઈ જવાનો કાર્યક્રમ બનાવ્યો અને ત્યાં ગયા. ત્યાં અવંતીકા ખૂબ જ અભદ્ર રીતે બીજી રેસ્ટોરન્ટમાં આવેલ સ્ત્રીઓ અને ત્યાં કામ કરતી સ્ત્રીઓને જોઈ રહી હતી. મેં તેને ટોકતા તેણે જણાવ્યું કે, તેને પુરુષમાં નહિ પણ સ્ત્રીઓમાં રસ છે. આ આશ્ચર્યજનક વાર્તાલાપનું રેકોડીંગ અમોએ અમારા ફોનમાં કર્યું હતું.
દૂબથી પરત આવ્યા બાદ પણ અવંતીકાનું વર્તણૂંક અજીબ હતી. તે બગીચામાં બેસીને રોજ કોઈને કોઈ સાથે વાત કરતી. મેં તેને નવો આઈફોન આપ્યો હોવાથી, તેનો જુનો ફોન અમારા રૂમમાં હતો. ત્યારે મેં તેની સોશિયલ મીડિયા એકાઉન્ટ જોયા હતા. જેમા કરેલા મેસેજ આઘાતજનક હતા. તેની ચેટ હિસ્ટ્રી પરથી જાણવા મળ્યું કે, અવંતીકાને તેની સ્ત્રી મિત્ર સાથે મારા પરિવાર ઉપર ખોટા આરોપો લગાવી અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડી મને તથા મારા પરિવારને હેરાન કરી અમારી પાસેથી 100 કરોડ રૂપિયા પડાવી ભાગી જવાની યોજના ઘડી હતી. જે ચેટના સમગ્ર સ્કીનશોટ મેં મારા ફોનથી પાડી લીધેલા.
ફરિયાદમાં જણાવાયું કે, આ બાદ મેં મારા પરિવારને આ વિશે જાણ કરી હતી. અવંતીકાના માતાપિતાએ પણ આ વાત ઉપજાવી કાઢી હોવાનો અમારા પર આક્ષેપ કર્યો હતો. તેઓ અવંતીકાને પોતાની સાથે લઈ ગયા હતા. આ બાદ તેના પિતાએ અવંતીકાને ફરીથી લગ્નજીવનમાં લઈ જવા કહ્યું હતું. જેને અવંતીકાના વર્તનને કારણે અમે આ વાતનો સ્વીકા કર્યો ન હતો. આ બાદ તેના પિતાએ અમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
પત્નીના કરેલી અરજી પણ વાયરલ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વ્રજેન્દ્ર પ્રસાદે પત્નિ સામે ગત રોજ ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમગ્ર મામલે એક લેટર વાયરલ થયો હતો. જેમાં પત્નીએ પણ વ્રજેન્દ્ર પ્રસાદ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પત્નીએ અલાહાબાદ કોર્ટમાં વજેન્દ્ર પ્રસાદ વિરૂદ્ધ ફરિયાદ કરેલી કોર્ટની અરજી કોપી વાયરલ થઈ હતી. વાયરલ અરજીમાં વજેન્દ્ર પ્રસાદ પર પત્નીએ પણ ગંભીર આરોપ લગાવ્યા છે. અલાહાબાદ કોર્ટની અરજીની ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી.