ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર; સ્કાયમેટની આ આગાહી અંબાબાલના વરતારા સાથે મેચ થઈ

Weather Update: એપ્રિલમાં ભારે પવનના તુફાનો અને આંધી વંટોળનું વાતાવરણ રહેશે. 14 એપ્રિલથી બંગાળાના ઉપસાગરમાં વાવાઝોડાની શરૂઆત થશે. 10 થી 18 મે સુધીમાં આરબ દેશોમાંથી આવતી આંધી તુફાનો થવાની શક્યતા છે. 

ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર; સ્કાયમેટની આ આગાહી અંબાબાલના વરતારા સાથે મેચ થઈ

Gujarat Weather Update: ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગેની પહેલી આગાહી જાહેર કરી છે. સ્કામેટની આગાહી પ્રમાણે આ વર્ષનું ચોમાસું  ગુજરાતના ખેડૂતોને નિરાશ કરી શકે છે. જી હા, ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સ્કાયમેટે આગાહી આપી છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે સમગ્ર દેશમાં વરસાદ પ્રમાણસરનો પડશે પરંતુ ગુજરાત સહિત તમિલનાડુ, આંધ્રપ્રદેશ જેવાં દરિયાકાંઠાનાં રાજ્યોમાં સમુદ્ર પટ્ટો ધરાવતા જિલ્લાઓમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે. 

ગુજરાતમાં ચોમાસું થોડું રહી શકે છે નિરાશાજનક 
આ વર્ષે હોળીનો પવન જોઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ZEE 24 કલાક પર આવી જ કંઈક આગાહી આપી હતી અને કહ્યું હતું કે આ વખતે વરસાદ ઓછો બન્યો છે. સાથે જ તેમણે કહ્યું હતું કે વર્ષ 2025નું ચોમાસું કંઈક અલગ પ્રકારનું ચોમાસું હશે. તો આ ખબર ગુજરાતના એ તમામ ખેડૂતો માટે છે જેઓ ચોમાસું બેસતાં જ વરસાદની ચાતક નજરે રાહ જોતા હોય છે અને સારા વર્ષની આશા રાખે છે. પરંતુ સ્કાયમેટની આગાહી પણ અંબાબાલ પટેલની આગાહી સાથે મેચ થઈ રહી છે અને ગુજરાતમાં ચોમાસું થોડું નિરાશાજનક રહી શકે છે. 

અલ નીનો વિકસિત થવાની કોઈ શક્યતા નથી
હિંદ મહાસાગરની આબોહવાની પેટર્ન પણ અનુકૂળ દેખાય છે જે ચોમાસાના વરસાદ માટે મદદરૂપ સાબિત થશે. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ચોમાસાની સિઝનમાં સરેરાશ કરતાં ત્રણ ટકા વધુ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન, સમગ્ર ભારતમાં સરેરાશ 868.6 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે અંદાજે 895 મીમી જેટલો વરસાદ પડશે. ખાનગી હવામાન મોનિટરિંગ એજન્સી સ્કાયમેટે તેની તાજેતરની આગાહીમાં કહ્યું છે કે પેસિફિક મહાસાગરમાં તટસ્થ સ્થિતિ છે. લા નીના નોંધપાત્ર રીતે નબળું પડી ગયું છે અને આગામી ચાર મહિના દરમિયાન અલ નીનો વિકસિત થવાની કોઈ શક્યતા નથી.

આ વર્ષે પડશે ભારે વરસાદ 
હિંદ મહાસાગરની આબોહવાની પેટર્ન પણ અનુકૂળ દેખાય છે, જે ચોમાસાના વરસાદ માટે મદદરૂપ સાબિત થશે. ચોમાસા દરમિયાન સારો વરસાદ ખેતીમાં મદદરૂપ થાય છે. આ સમય દરમિયાન, ખરીફ પાકની વાવણી અને વાવેતર થાય છે. ભૂગર્ભજળનું સ્તર પણ વધે છે, જેના કારણે આખા વર્ષ દરમિયાન પીવાના પાણીની અછત રહેતી નથી. આગાહીના 96 થી 104 ટકા સુધીનો વરસાદ સામાન્ય માનવામાં આવે છે. 103 ટકા મતલબ કે ચાર મહિના દરમિયાન સારો વરસાદ થશે. જોકે, તેમાં પાંચ ટકા સુધીનો તફાવત હોઈ શકે છે. આનો અર્થ એ છે કે સામાન્ય કરતાં પાંચ ટકા ઓછો અથવા વધુ વરસાદ પડી શકે છે.

ક્યારે આવશે ભારતના દરિયાકાંઠે ચોમાસું?
સ્કાયમેટનો અંદાજ છે કે 96 ટકાથી નીચેનો કોઈ ઘટાડો થવાની શક્યતા બહુ ઓછી છે. દેશના પશ્ચિમ કાંઠા અને મધ્ય ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની સાથે પર્વતીય વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news