Ayurvedic Remedy: થાઈરોઈડથી છુટકારો મેળવવાનો આયુર્વેદિક ઈલાજ, થોડા જ દિવસોમાં દેખાશે અસર

Ayurvedic Remedy For Thyroid: થાઈરોઈડની સમસ્યા સામાન્ય થતી જાય છે. આજના સમયમાં અનેક લોકો થાઈરોઈડની સમસ્યાથી પરેશાન હશે. આ બીમારીથી મુક્તિ મેળવવી હોય તો તેના માટેનો આયર્વેદિક ઈલાજ આજે તમને જણાવીએ. 
 

Ayurvedic Remedy: થાઈરોઈડથી છુટકારો મેળવવાનો આયુર્વેદિક ઈલાજ, થોડા જ દિવસોમાં દેખાશે અસર

Ayurvedic Remedy For Thyroid: આજના સમયમાં થાઈરોઈડ એક સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. અનેક લોકો થાઈરોઈડના દર્દી હશે. આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં તેને હોર્મોનલ અસંતુલન માનવામાં આવે છે. જ્યારે આયુર્વેદમાં તેના શરીરના ગાઢ અસંતુલનનો સંકેત માનવામાં આવે છે. આયુર્વેદમાં થાઈરોઈડને અગ્નિ દોષ, ધાતુ વિકૃતિ અને ત્રિદોષ અસંતુલન તરીકે જોવામાં આવે છે. જેમાં વાત,પિત્ત અને કફના દોષોની મહત્વની ભૂમિકા હોય છે. 

Add Zee News as a Preferred Source

આયુર્વેદ અનુસાર થાઈરોઈડ ગ્રંથિ વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલી હોય છે જે જઠરાગ્નિ એટલે કે પાચનશક્તિ અને ઉતકોની અગ્નિને નિયંત્રિત કરે છે. હાઈપોથાયરોડિઝ્મમાં વાત અને કફની અધિકતા હોય છે જેના કારણે થાક, વજન વધવું, સુસ્તી જેવા લક્ષણ દેખાય છે. જ્યારે હાઈપરથાયરોડિઝ્મમાં પિત્તની અધિકતા હોય છે જેના કરાણે વજન ઘટે છે, ચિડીયાપણું રહે છે, ધબકારી વધી જવા જેવી સમસ્યાઓ થાય છે. 

થાઈરોઈડથી છુટકારો મેળવવાનો ઉપાય

આયુર્વેદમાં થાઈરોઈડથી છુટકારો મેળવવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવા પર ભાર મુકવામાં આવે છે. જેમાં પુરતી ઊંઘ કરવી, નિયમિત વ્યાયામ કરવો, સ્ટ્રેસ મેનેજ કરવો, આયોડીન તેમજ ઝિંક યુક્ત વસ્તુઓ લેવી. આ સિવાય આયુર્વેદ અનુસાર અશ્વગંધા, ગુગળ, શિલાજીત, ત્રિફળા જેવી જડીબુટી થાઈરોઈડને સંતુલિત કરવામાં મદદ કરે છે. રોજ સવારે 10 થી 15 મિનિટ તડકો પણ લેવો જોઈએ. 

થાઈરોઈડમાં સૂર્ય નમસ્કાર, સર્વાંગાસન, મત્સ્યાસન અને નોકાસન પણ કરી શકાય છે. આ સિવાય પ્રાણાયામમાં અનુલોમ વિલોમ પણ કરવું જોઈએ. તેનાથી ચયાપચય સુધરે છે. 

આયુર્વેદિક નિષ્ણાંતોનું કહેવું છે કે નિયમિત દિનચર્યા, સાત્વિક આહાર પર ધ્યાન કરવાથી થાઈરોઈડને પ્રાકૃતિક રીતે નિયંત્રિત કરી શકાય છે. આધુનિક અને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ઉપચાર કરવાથી થાઈરોઈડના લક્ષણોમાં રાહત મળી શકે છે અને શરીરનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news