)
Health Tips: આજની દોડધામ ભરેલી જિંદગીમાં ડાયાબિટીસ એટલે કે બ્લડ સુગરની સમસ્યા સામાન્ય થતી જાય છે. જો તમને ડાયાબિટીસ હોય અને બ્લડ સુગર લેવલ સતત વધેલું રહેતું હોય તો દવાઓની સાથે સારી જીવનશૈલી પણ અપનાવી જરૂરી છે. હેલ્ધી જીવનશૈલી અપનાવીને તમે બ્લડ સુગરને કંટ્રોલ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર બ્લડ સુગર કંટ્રોલ કરવાનો સૌથી સરળ અને અસરકારક રસ્તો છે નિયમિત દિનચર્યા, સંતુલિત ડાયટ અને હળવી શારીરિક ગતિવિધિઓ.
સૌથી પહેલા જરૂરી છે કે તમે તમારી દિનચર્યાને અનુશાસિત બનાવો. ખાવાનો, રાત્રે સૂવાનો અને સવારે જાગવાનો સમય નક્કી કરી લો અને નિયમિત રીતે આ નિયમને ફોલો કરો. સાથે જ સંતુલિત ડાયેટ ફોલો કરો. કારણ કે ખાવા પીવાની આદતથી જ બ્લડ શુગર કંટ્રોલ કરી શકાય છે. ખાસ કરીને રાત્રે જમ્યા પછી તુરંત જ બેસી જવું કે સૂઈ જવાનું ટાળવું જોઈએ. રાત્રે જમ્યા પછી થોડી વોક કરવી ફાયદાકારક રહે છે.
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે વ્યક્તિ દર થોડી કલાકે બ્રેક લઈ અને થોડા ડગલા ચાલે તો શરીરમાં ગ્લુકોઝનું સ્તર સંતુલિત રહે છે. થોડા ડગલા ચાલી લેવાથી શરીરના સ્નાયુ સક્રિય થઈ જાય છે અને રક્તમાં રહેલું ગ્લુકોઝ અવશોષિત કરી શકે છે. તેનાથી બ્લડ સુગરનું લેવલ અચાનક વધતું નથી.
એક રિપોર્ટ અનુસાર જમ્યા પછી જો તમે 30 મિનિટ ધીરે ધીરે વોક કરો છો તો શરીર એક્ટિવ રહે છે, બ્લડ શુગર સંતુલિત રહે છે, કોલેસ્ટ્રોલ અને વજન વધવા જેવી સમસ્યાથી પણ રાહત મળી શકે છે. રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે કલાકો સુધી બેસી રહેતા લોકોએ દર થોડી કલાકે ઉભા રહેવું જોઈએ અને ધીરે ધીરે ચાલવું જોઈએ. આમ કરવાથી બ્લડ સુગર સારી રીતે કંટ્રોલ કરી શકાય છે. દર થોડી કલાકે વોક કરી લેવાથી ઇન્સ્યુલિનનું સ્તર પણ સંતુલિત રહે છે અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મદદ મળે છે.
હેલ્થ રિપોર્ટ અનુસાર જો તમે આખા દિવસમાં ઓછામાં ઓછા નાના-નાના 10 બ્રેક લઈને વોક કરી લો છો તો તેનાથી શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે. દર થોડી કલાકે વોક કરી લેવાથી બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, ઇન્સ્યુલિન અને ગ્લુકોઝ લેવલનું સ્તર સુધરે છે થોડી મિનિટ વોક કરવાથી બ્લડ સુગરની સાથે સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે.
જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે રોજ વોક કરવી જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને સાથે જ હાર્ટ સંબંધિત સમસ્યાનું જોખમ પણ ઘટે છે. ખાસ કરીને જમ્યા પછી વોક કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે કેલેરી વધારે બળે છે અને વજન કંટ્રોલમાં રહે છે.
જમ્યા પછી તુરંત બેસી જવાથી પાચન સારી રીતે થતું નથી અને કબજિયાત, ગેસ જેવી સમસ્યા થાય છે. પરંતુ જમ્યા પછી નિયમિત વોક કરી લેવાથી પાચન પણ સુધરે છે. એક્સપર્ટ જણાવે છે કે જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે રોજ 30 મિનિટ સુધી વોક કરવી જોઈએ તેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે અને શરીર એક્ટિવ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)