ગુજરાતી ન્યૂઝHealthસવારે ઉઠી આ દેશી ચા પીવો, હાર્ટની સમસ્યા રહેશે દૂર, કોલેસ્ટ્રોલ અને બીપીમાં પણ થશે ફાયદો

સવારે ઉઠી આ દેશી ચા પીવો, હાર્ટની સમસ્યા રહેશે દૂર, કોલેસ્ટ્રોલ અને બીપીમાં પણ થશે ફાયદો

Herbal Tea For Heart: હાર્ટની બીમારીને દૂર રાખવી હોય તો દરરોજ સવારે આ લાકડીની ચા પીવાનું શરૂ કરો. આ દેશી ચા પીવાથી હાર્ટ સ્વસ્થ રહે છે અને હાર્ટની પમ્પિંગ કેપિસિટી વધે છે. આ સિવાય અન્ય બીમારીમાં રાહત મળે છે. 

 સવારે ઉઠી આ દેશી ચા પીવો, હાર્ટની સમસ્યા રહેશે દૂર, કોલેસ્ટ્રોલ અને બીપીમાં પણ થશે ફાયદો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષથી હાર્ટની બીમારીનો ખતરો ખૂબ વધી રહ્યો છે. પહેલા મોટી ઉંમરના લોકોને હાર્ટની બીમારી થતી હતી, પરંતુ હવે નાની ઉંમરમાં પણ લોકો તેનો સામનો કરી રહ્યાં છે. ખરાબ લાઇફસ્ટાઇલને કારણે હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ રહી છે, જે હાર્ટ એટેકના ખતરાને વધારી રહી છે. તેવામાં સમય પર પોતાના હ્રદયની તપાસ કરાવતા રહો અને સાથે એવી આયુર્વેદિક તથા દેશી વસ્તુનો ઉપયોગ કરો જેનાથી હાર્ટ મજબૂત બને અને હાર્ટ સંબંધિત બીમારીઓનો ખતરો ઓછો રહે. હાર્ટને સ્વસ્થ બનાવવા માટે સવારે ઉઠી આ દેશી ચા પીવાનું શરૂ કરો. તેનાથી હાર્ટની બીમારીના ખતરાને ઘટાડી શકાય છે.

હાર્ટ માટે અર્જુનની છાલના ફાયદા
આયુર્વેદ નિષ્ણાંત અર્જુનની છાલને હાર્ટ માટે અસરકારક માને છે. યોગ ગુરૂ સ્વામી રામદેવ પ્રમાણે અર્જુનની છાલ હાર્ટ માટે રામબાણનું કામ કરે છે. અર્જુનની છાલનો ઉપયોગ કરવાથી ન માત્ર હાર્ટ મજબૂત થાય છે પરંતુ તેના બીજા ફાયદા પણ મળે છે. અર્જુનની છાલ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, તેનાથી હાઈ બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને હાર્ટનો પમ્પિંગ પાવર પણ વધે છે.

Add Zee News as a Preferred Source

અર્જુનની છાલના ફાયદા
અર્જુનની છાલમાં તમામ પોષક તત્વ અને ફાઇટોકેમિકલ્સ હોય છે, જે તેને અસરકારક જડીબુટ્ટીમાં સામેલ કરે છે. અર્જુનની છાલમાં ફ્લેવોનોઇડ્સ, ટેનિન, ટ્રાઇટરપેનોઇડ્સ અને સેપોનિન્સ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે. આ સિવાય ઘણા જરૂરી યૌગિક જેમ કે અર્જુનોલિક એસિડ, ગેલિક એસિડ, એલાજિક એસિડ પણ હોય છે. 

અર્જુન છાલનો ઉપયોગ શું છે?
અર્જુનની છાલ કોઈ અસરકારક દવાથી ઓછી નથી. તેનો ઉપયોગ માત્ર હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે જ નથી થતો પરંતુ તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવવામાં પણ મદદ કરે છે. અર્જુનની છાલ શુષ્ક ત્વચા, કફ અને ઉધરસમાં પણ રાહત આપે છે. તેના માટે અર્જુનની છાલનો ટુકડો પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીને ગાળીને તેની છાલ કાઢીને ફેંકી દો. હવે આ પાણી પી લો.

અર્જુનની છાલનો ઉપયોગ
અર્જુનની છાલનો પાઉડર પણ મળે છે. તેને આદુ અને તુલસી સાથે પાણીમાં નાખી ઉકાળો. આ પાણીનું સવારે ખાલી પેટ સેવન કરો. તમે ઈચ્છો તો સવારે અર્જુનની છાલની ચા બનાવી પી શકો છો. જેમાં તમે લિકરિસ અને સ્ટીવિયા ઉમેરીને ટેસ્ટી બનાવી શકો છો. આ સિવાય અર્જુનની છાલના પાવડરને મધમાં ભેળવીને ખાઓ. આયુર્વેદમાં અર્જુન છાલની ગોળીઓ પણ ઉપલબ્ધ છે.

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news