Anxiety: એન્ઝાઈટી અને સ્ટ્રેસથી છુટકારો આપશે આ 3 ફુડ, આ વસ્તુઓ ખાશો તો દવાઓ ગળવાનો વારો નહીં આવે

Healthy Food For Anxiety: લોકોની બદલાયેલી જીવનશૈલી અને આહાર શૈલી તેમના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે 3 પ્રકારના ફૂડનો ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. જો તમે આ પોષકતત્વોને ડાયટમાં સામેલ કરો છો તો એન્ઝાઈટીને કંટ્રોલમાં મદદ મળી શકે છે.
 

Anxiety: એન્ઝાઈટી અને સ્ટ્રેસથી છુટકારો આપશે આ 3 ફુડ, આ વસ્તુઓ ખાશો તો દવાઓ ગળવાનો વારો નહીં આવે

Healthy Food For Anxiety: આધુનિક સમયમાં લોકોની જીવનશૈલી દોડધામ ભરેલી થઈ ગઈ છે. તેની સામે લોકો પોષણયુક્ત આહાર પણ લેતા નથી. લાઈફ સ્ટાઈલમાં થયેલા આ ફેરફારના કારણે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. જેમાં મૂડ સ્વિંગ,0 એન્ઝાઈટી, સ્ટ્રેસ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર 7.5% ભારતીય માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી પીડિત છે. આ સમસ્યા કોરોના મહામારી પછી વધી ગઈ છે. લાખોની સંખ્યામાં લોકો ચિંતા અને સ્ટ્રેસનો શિકાર છે. જો તમે પણ વારંવાર એન્ઝાઈટી, ચિંતા અનુભવો છો તો ડાયટમાં પોષણયુક્ત આહારનો સમાવેશ કરવાની શરૂઆત કરો. કેટલીક પોષણયુક્ત વસ્તુઓ એવી છે જેને ખાવાથી એન્ઝાઈટીને કંટ્રોલ કરી શકાય છે. 

આજના સમયમાં લોકો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને મસાલેદાર ભોજન કરવાનું પસંદ કરે છે જેનાથી પેટથી લઈને મગજનું સ્વાસ્થ્ય જોખમાઈ જાય છે. ભોજનનો સંબંધ મેન્ટલ હેલ્થ સાથે પણ છે. જો તમે મગજને પોષણ અને એનર્જી આપે તેવી વસ્તુઓનું સેવન કરો તો ડિપ્રેશન અને એન્ઝાઇટી પણ ઘટી શકે છે. 

માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંતો અનુસાર ઉદાસ રહેવું, નાની-નાની વાતો પર સ્ટ્રેટ અનુભવો અને વધારે પડતી ચિંતા થવી જેવી તકલીફોને કંટ્રોલ કરવામાં કેટલીક વસ્તુઓ મદદ કરી શકે છે. જો તમે ડેઇલી રૂટીનમાં આ ફૂડનો સમાવેશ કરો છો તો એન્ઝાઈટીની સ્થિતિમાં ફાયદો થઈ શકે છે. 

હેલ્ધી ફેટ 

મગજને હેલ્ધી રાખવા માટે ફેટ ખૂબ જ જરૂરી છે. એક રિપોર્ટ અનુસાર ઓમેગા 3 ફેટ યુક્ત ભોજન લેવાથી વ્યક્તિની અંદર ડિપ્રેશન અને એન્ઝાઈટી જેવા જોખમ ઘટી જાય છે. 2018માં થયેલી રિસર્ચ અનુસાર ઓમેગા 3 ફેટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. 

આખા અનાજ 

હજારો મહિલાઓ પર થયેલી સ્ટડી પછી એક રિપોર્ટ સામે આવી હતી જેમાં તારણ આપવામાં આવ્યું હતું કે આખા અનાજ ડાયટમાં સામેલ કરવાથી મેન્ટલ હેલ્થ સુધરી શકે છે. આ રિપોર્ટમાં એવી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી જેમની મેન્ટલ હેલ્થ ખરાબ હતી. રિસર્ચ પછી સામે આવ્યું કે ડાયટમાં આખા અનાજનો સમાવેશ કરવાથી તેમની મેન્ટલ હેલ્થ સુધરી. 

ફેટી એસિડ ફૂડ 

ડિપ્રેશન અને એન્ઝાઈટીથી બચવા માટે ઓમેગા 3 ફેટી એસિડની ભરપૂર ફૂડ ફાયદાકારક સાબિત થાય છે, જેમાં અખરોટ, અળસીના બી, ચિયા સીડ્સ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે. આ બધી વસ્તુઓમાં ભરપૂર માત્રામાં ફેટી એસિડ હોય છે જે બ્રેન ફંકશનને સુધારે છે અને મૂડને સ્ટેબલ રાખે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news