)
Heart Attack Symptoms: અભિનેત્રી માધુરી દીક્ષિતના પતિ ડોક્ટર શ્રીરામ નેને એક જાણીતા સર્જન છે. તાજેતરમાં જ એક મુલાકાત દરમિયાન ડોક્ટર નેને એ આજના સમયની સતત વધતી સમસ્યા એટલે કે હાર્ટ અટેક વિશે મહત્વની જાણકારી આપી હતી. ડોક્ટરની નેને એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જ્યારે વ્યક્તિને હાર્ટ અટેક આવે તો તેને કેવો અનુભવ થાય છે અને શરીરમાં શું થાય છે?
ડોક્ટર નેને જ્યારે પૂછવામાં આવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ અટેક આવે તો શરીરમાં શું થાય છે? આ પ્રશ્નના જવાબમાં ડોક્ટર નેને એ જણાવ્યું હતું કે જ્યારે હાર્ટ અટેક આવે છે તો ત્રણ ધમનીમાં બ્લોકેજની સમસ્યા હોય છે, ડાબી ધમનીમાં બ્લડ ફ્લો થઈ શકતું નથી જેના કારણે તે ભાગ કામ કરવાનું બંધ કરી દે છે.
હાર્ટ અટેક દરમિયાન દર્દીને શું થાય ?
ડોક્ટર નેને એ જણાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે તો સૌથી પહેલા તેને છાતીમાં અને ખભામાં દુખાવો અનુભવાય છે. ત્યાર પછી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે, નાકમાંથી પરસેવો આવે છે અને ધબકારા વધી જાય છે. જોકે ડોક્ટર નેને એવું પણ જણાવ્યું કે 20 ટકા કેસ એવા પણ હોઈ શકે છે જેમાં દર્દીને હાર્ટ એટેકના લક્ષણ દેખાઈ નહીં. જે લોકોને હાર્ટ એટેકના આવા લક્ષણ ન દેખાય તેવો બેભાન થઈ જાય છે અને તેમને કાર્ડિયાક એરેસ્ટ આવે તેવી સંભાવના વધારે હોય છે.
હાર્ટ એટેક દરમિયાન વ્યક્તિ બેભાન થઈ જાય તો શું થાય?
ડોક્ટર નેને ના જણાવ્યા અનુસાર જ્યારે હાર્ટ એટેક દરમિયાન વ્યક્તિ બેભાન થઈ જાય તેનું કારણ હોય છે કે મગજમાં બ્લડ ફ્લો ન થતું હોય. જ્યારે મગજમાં બ્લડ ફ્લો નથી થતું તો દર્દી બેભાન થઈ જવાની સમસ્યા થાય છે. આ સમય દરમિયાન ધબકારા વધી જાય છે અથવા તો હૃદય પંપ કરવાનું બંધ કરી દે છે.
હાર્ટ એટેક આવે તો તુરંતુ શું કરવું?
હાર્ટ એટેક આવે તો તુરંત જ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવી જોઈએ. સૌથી પહેલા ઘરની આસપાસ જે પણ હોસ્પિટલ હોય ત્યાં પહોંચી જવું. હાર્ટ એટેક દરમિયાન એક કલાકનો સમય સૌથી મહત્વપૂર્ણ હોય છે. એક કલાકમાં દર્દીને સારવાર ન મળે તો તેની સ્થિતી ગંભીર થઈ શકે છે.
હાર્ટ અટેકથી બચવા શું કરવું?
ડોક્ટર નેના જણાવ્યા અનુસાર હાર્ટ એટેકથી બચવા માટે રોજ યોગ કરી શકાય છે. પ્રાણાયામ કરવાથી હાર્ટ એટેકથી બચવામાં મદદ મળી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)