)
Ayurvedic Kadha: શિયાળામાં શરદી, ઉધરસ ન થાય તેનું ધ્યાન તો રાખવામાં આવે છે પરંતુ ઠંડી હવાના કારણે વારંવાર શરદી, ઉધરસ થઈ જાય છે. શરદી, ઉધરસનો ચેપ પણ શિયાળામાં ઝડપથી લાગી જાય છે. ઘણા લોકો તો શરદી-ઉધરસ થાય એટલે ડોક્ટરનો સંપર્ક કર્યા વિના જ દવા ખાઈ લેતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. આ સમસ્યાનો રામબાણ ઈલાજ તમને જણાવીએ.
શરદી, ઉધરસ થાય તો એક આયુર્વેદિક કાઢો બનાવી પી લેવો. શરદી કે ઉધરસ થયા હોય ત્યારે દિવસમાં 2 વાર આ કાઢો બનાવી પી લેવો. તેનાથી શરદી, ઉધરસ મટી જાય છે અને દવા પણ લેવી પડતી નથી. શરદી, ઉધરસ મટાડવા માટે તુલસી, આદુ, કાળા મરી ઉપયોગી સાબિત થાય છે. આ વસ્તુઓને મિક્સ કરીને જ કાઢો બનાવવાનો હોય છે.
શરદી, ઉધરસ માટે કાઢો બનાવવા માટે 1 ગ્લાસ પાણીમાં તુલસીના પાન, આદુ, કાળઆ મરી ઉમેરી 5 થી 7 મિનિટ ઉકાળો. પાણી અડધું થઈ જાય એટલે ગાળી લો અને હુંફાળુ હોય ત્યારે પી લેવું. ગળામાં તકલીફ હોય તો તમે ઉકાળામાં મધ પણ ઉમેરી શકો છો.
આ કાઢો પીવાથી શરીરમાં ગરમી વધે છે. જેના કારણે બંધ નાક ખુલી જાય છે અને કફ પણ છુટો પડે છે. આ કાઢો પીવાથી ગળાની બળતરા મટે છે અને ગળાના દુખાવામાં પણ રાહત થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)