)
Baking Soda Uses and Benefits: બેકિંગ સોડાનો ઉપયોગ સામાન્ય રીતે કેક, કૂકીઝ કે અન્ય પકવાનોમાં કરવામાં આવે છે. પરંતુ આયુર્વેદ અને સાયન્સ બંનેમાં બેકિંગ સોડાને ચમત્કારી માનવામાં આવે છે. જો રોજ સવારે એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક ચપટી બેકિંગ સોડા મિક્સ કરીને પીવામાં આવે તો શરીર અંદરથી મજબૂત થાય છે. આયુર્વેદમાં કહેવાયું છે કે આમ કરવાથી શરીરનું ઇન્ટર્નલ બેલેન્સ એટલે કે ત્રિદોષ યોગ્ય રહે છે અને સ્વાસ્થ્ય સુધરે છે.
પીએચ લેવલ સુધરે છે
સાયન્ટિફિક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે શરીરનું પીએચ લેવલ જો થોડું પણ ખરાબ હોય તો થાક, સોજા, અપચો અને સ્કીન સંબંધિત સમસ્યા વધી જાય છે. બેકિંગ સોડા જેને વૈજ્ઞાનિક ભાષામાં સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય છે તે શરીરના પીએચ લેવલના સંતુલિત કરવામાં મદદ કરી શકે છે. તેની અંદર આલ્કલાઇન પ્રોપર્ટી હોય છે જે શરીરના એસિડને ઘટાડે છે.
પેટ માટે સારું
જ્યારે ખાલી પેટ હુંફાળા પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરીને પીવામાં આવે છે તો ફક્ત પાચનને જ નહીં પરંતુ ત્વચા અને મગજ પર પણ તેની અસર દેખાય છે. તેનાથી પેટ હળવું થઈ જાય છે અને બ્લોટીંગ તેમજ ગેસની ફરિયાદ દૂર થઈ શકે છે. રિસર્ચ અનુસાર તેનાથી શરીરની ઉર્જા સ્થિર રહે છે અને મગજ પણ એક્ટિવ રહી શકે છે.
ત્વચાને ફાયદો
બેકિંગ સોડાની અસર ત્વચા પર પણ દેખાય છે. જ્યારે શરીર અંદરથી સાફ થઈ જાય છે તો ચહેરો ચમકવા લાગે છે. તેના કારણે ખીલ ડાઘ અને ત્વચાની અન્ય સમસ્યા ઓછી થઈ જાય છે.
શ્વાસની દુર્ગંધ
મોં માંથી આવતી દુર્ગંધ અને શ્વાસની બદબુથી પરેશાન લોકો માટે પણ બેકિંગ સોડા એક સસ્તો અને અસરકારક ઉપાય છે. બેકિંગ સોડા નેચરલ માઉથ ફ્રેશનર તરીકે કામ કરે છે જે મોં ની સફાઈ કરી તાજગી આપે છે.
મેટાબોલિઝમ સુધરે છે
બેકિંગ સોડા મેટાબોલિઝમને પણ સુધારવામાં મદદ કરે છે. તેમાં રહેલી આલ્કલાઇન પ્રોપર્ટી બોડીમાં ફેટ જામતું અટકાવે છે અને ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જોકે બેકિંગ સોડા ત્યારે જ અસર દેખાડે છે જ્યારે તેને બેલેન્સ ડાયટ અને એક્ટિવ લાઈફ સ્ટાઈલ સાથે અપનાવવામાં આવે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)