)
Health News: શું તમને દરરોજ સવારે ઉઠવાની સાથે છીંક આવવા લાગે છે? શું તમારા નાકમાંથી પાણી નીકળે છે કે નાક બંધ થઈ જાય છે, અને આખો દિવસ થાક અને ચીડિયાપણું રહે છે? જો આમ થાય તો આ કોઈ સામાન્ય શરદી-ઉધરસની વાત નથી, પરંતુ ખાસ પ્રકારની એલર્જીનો સંકેત હોઈ શકે છે, જેને સામાન્ય ભાષામાં એલર્જિક રાઇનાઇટિસ પણ કહેવામાં આવે છે.
ઘણા લોકો આ સમસ્યાને ગંભીરતાથી લેતા નથી. તે વિચારે છે કે કદાચ આવું સિઝનમાં ફેરફારને કારણે થઈ શકે છે, પરંતુ હકીકતમાં સવારમાં છીક આવવી તમારી આસપાસનું વાતાવરણ, જેમ કે બેડરૂમમાં રહેલી ધૂળ, ફૂગ, પાલતુ પ્રાણીઓનો ખંજવાળ, અથવા પરાગકણ (Pollens) થી થનારી એનર્જી થઈ શકે છે. તેવામાં આજે અમે તમને જણાવીશું કે એલર્જિક રાઇનાઇટિસ શું છે? તે શું હોય છે અને તેના લક્ષણ શું છે?
એલર્જિક રાઇનાઇટિસ શું છે?
એલર્જિક રાઇનાઇટિસ નાકની એક એલર્જી છે. તેમાં વ્યક્તિ જ્યારે કોઈ એલર્જન એટલે કે એલર્જી પેદા કરનાર વસ્તુના સંપર્કમાં આવે છે, જેમ કે ધૂળના કણ, પરાગકણ એટલે કે છોડમાંથી નીકળનાર નાના કણ, પાલતૂ જાનવરોના વાળ કે ડેન્ડર અને ફૂગ કે ભેજ તો તેનું શરીર તત્કાલ પ્રતિક્રિયા આપવા લાગે છે, જેના કારણે નાકમાંથી પાણી નીકળે છે, છીંક આવે છે અને આંખમાં પાણી આવે છે. ઘણીવાર ગળામાં ખારાશ પણ થઈ શકે છે.
સવારના સમયે કેમ થાય છે વધુ સમસ્યા?
સવારના સમયે શરીરમાં એક કેમિકલ જેનું નામ હિસ્ટામિન (Histamine) હોય છે, તેનું સ્તર વધી જાય છે. આ હિસ્ટામિન એલર્જીના લક્ષણોને ઝડપી બનાવે છે. આખી રાત આપણે જ્યારે સૂઈએ ત્યારે આપણા રૂમમાં ધૂળ જમા થઈ જાય છે. પરાગકણ હવામાં હોય છે, બેડ, ઓશીકું અને પડદામાં એલર્જન જમા થાય છે, બારી-દરવાજા ખુલી જાય છે, જેથી ભેટ અને બહારની એલર્જી અંદર આવે છે. આ બધાને કારણે સવારે ઉઠવાની સાથે આપણે શ્વાસ લઈએ તો છીંક આવવાની શરૂ થાય છે.
એલર્જિક રાઇનાઇટિસના લક્ષણો
1. સવારે ઉઠતાની સાથે જ સતત છીંક આવવી
2. વહેતું નાક અથવા બંધ નાક
3. આંખોમાં ખંજવાળ અથવા પાણી આવવું
4. ગળામાં દુખાવો અથવા ખંજવાળ
5. દિવસભર થાક અથવા ચીડિયાપણું
6. માથામાં ભારેપણું અથવા દુખાવો
આ એલર્જીથી કઈ રીતે બચી શકશો?
1. બેડરૂમની સાફ-સફાઈ રાખો, દર સપ્તાહે બેડ અને ઓશીકાને ગરમ પાણીથી ધોવો.
2. નિયમિતપણે પડદા, કાર્પેટ અને ગાદલા વેક્યુમ કરો.
3. બારીઓ બંધ રાખો, ખાસ કરીને જ્યારે બહાર પરાગની સંખ્યા વધારે હોય.
4. સૂતા પહેલા સ્નાન કરો, જેથી શરીર અને વાળમાંથી પરાગ દૂર થઈ જાય.
5. ભેજને નિયંત્રિત કરવા માટે ડી-હ્યૂમિડિફાયરનો ઉપયોગ કરો.
6. ગાદલા અને ઓશીકા પર ધૂળ રોકવા માટે કવરનો ઉપયોગ કરો.
7. રૂમમાં એર પ્યૂરીફાયર ચલાવો, કપડા બદલીને સૂવો, જે બહારથી કપડા પહેરી આવ્યા હોવ તેને બેડરૂમ સુધી ન લાવો.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.