)
Night Time Bad Habits: આપણા સારા સ્વાસ્થ્ય માટે રાત્રે સારી ઊંઘ થાય તે જરૂરી છે. આખા દિવસની દોડધામ અને થાક પછી રાત્રે શરીરને આરામ મળે તે જરૂરી છે. જેથી બીજા દિવસે તરોતાજા રહી દિવસની શરુઆત કરી શકાય. પરંતુ ઘણા લોકો ઊંઘ કર્યા પછી જાગે તો પણ થાકેલા રહે છે. તેમનો થાક ઉતરતો જ નથી. આમ થવાનું કારણ છે રાતના સમયની 3 ગંદી આદતો.
રાતના સમયે જો 3 ખરાબ આદતોને ફોલો કરવામાં આવે તો તે શરીર અને મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર કરે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ આદતો છે જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે અને જેને વ્યક્તિએ છોડી દેવી જોઈએ.
ઊંઘ ન આવે ત્યાં સુધી ફોન યુઝ કરવો
આજના સમયમાં લોકો પથારીમાં પડે એટલે હાથમાં મોબાઈલ લઈ લે છે. મોબાઈલ જોતા જોતા કલાકોનો સમય નીકળી જાય છે. લોકો એવું વિચારે છે કે ઊંઘ ન આવે ત્યાં સુધી જ ફોન યુઝ થાય છે પરંતુ હકીકતમાં ફોન યુઝ કરતા રહેવાથી અડધી રાત સુધી ઊંઘ આવતી નથી. મોબાઈલમાંથી નીકળતી બ્લુ લાઈટ ઊંઘના હોર્મોન મેલાટોનિન પર અસર કરે છે. તેનાથી ઊંઘની સમસ્યા થઈ જાય છે. સાથે જ રાત્રે ફોન યુઝ કરવાથી આંખ પર પણ જોર પડે છે અને મગજ પણ બરાબર કામ કરતું નથી. તેથી સુવા જવાનું હોય તેની 30 મિનિટ પહેલાથી ફોન યુઝ કરવાનું બંધ કરી દેવું જોઈએ.
ભારે ખોરાક લેવો
રાતના સમયે વધારે પડતો હેવી અને મસાલેદાર ખોરાક ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થીઈ શકે છે. તેનાથી ગેસ, એસિડિટી અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે. રાત્રે મોડેથી જમવું અને મસાલેદાર વસ્તુઓ ખાવાથી ઊંઘ પર પણ અસર થાય છે. તેનાથી પેટમાં ભારેપણ અનુભવાય છે. તેથી રાત્રે વહેલા જમી લેવું અને હળવો આહાર લેવો. જેથી સુવાનો સમય થાય ત્યાં સુધીમાં ખોરાક પચી જાય.
અડધી રાત સુધી જાગવું
સારી ઊંઘ આપણા શરીર સાથે મેન્ટલ હેલ્થ માટે પણ જરૂરી છે. જો તમે ઊંઘ નથી કરતા તો મગજની ક્ષમતા ઘટે છે. મોડી રાત સુધી જાગવાથી હોર્મોલન બેલેન્સ બગડે છે. તેનાથી સ્ટ્રેસ, ચીડીયાપણું, ફોકસનો અભાવ જેવી સમસ્યા બીજા દિવસે થાય છે. તેથી રોજ સુવાનો સમય નક્કી રાખો. રોજ 7 થી 8 કલાક ઊંઘ થાય તે વાતનું ધ્યાન રાખો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)