)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ હાલમાં જ બહાર પાડવામાં આવેલી આઠમાં પગાર પંચના ટર્મ્સ ઓફ રેફન્સ(ToR)માં જોવા મળી રહેલી વિસંગતિઓને લઈને ચિંતિત છે. વિવિધ કર્મચારી યુનિયનોએ સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે આ વખતે ToRમાં અનેક મહત્વપૂર્ણ પોઈન્ટ્સ ગત પગાર પંચની સરખામણીમાં કાં તો ગાયબ છે અથવા તો અસ્પષ્ટ રખાયા છે. આ યુનિયનો અને સંગઠનોએ પગાર સંશોધન, પેન્શન વ્યવસ્થા, NPS/UPS સંબંધિત જોગવાઈ, ડીએ એરિયર, દયા નિયુક્તિ અને ટ્રેડ યુનિયન અધિકાર જેવી અનેક મહત્વપૂર્ણ વાતો પર સ્પષ્ટતાની કમીને લઈને આપત્તિ જતાવી છે. આ કારણે કર્મચારી અને કેન્શનભોગી સરકારની ઈચ્છાને લઈને અસમંજસમાં છે.
1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર
હવે સંસદનું 1 ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. કર્મચારીઓ અને પેન્શનર્સની આશા આ સત્ર સંલગ્ન ચર્ચા પર ટકેલી છે. લોકસભા અને રાજ્યસભામાં અનેક સાંસદ આ મુદ્દાઓ પર સરકારને પ્રશ્ન પૂછવાના છે. જેનાથી સ્થિતિ સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. આગામી અઠવાડિયે નાણા મંત્રાલય આ મુખ્ય મુદ્દાઓ પર અધિકૃત રીતે જવાબ આપશે. રાજ્યસભાની વેબસાઈટ પર નોંધાયેલા પ્રશ્નોમાં સાંસદ જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમને સરકારને પૂછ્યું છે કે શું આઠમાં પગાર પંચના ToR થી પેન્શન સંશોધનને હટાવી દેવાયું છે? આ સવાલ બાદ ToR પર ગંભીર ચર્ચા છેડાઈ ગઈ છે. અગાઉના તમામ પગાર પંચોમાં પેન્શન સંશોધનનો સ્પષ્ટ ઉલ્લેખ હતો, પરંતુ આ વખતે આઠમાં પગાર પંચના ToR માં આ હિસ્સો નજરે ચડતો નથી. આ અસ્પષ્ટતાએ પેન્શનર્સમાં આશંકા પેદા કરી છે કે આ વખતે ક્યાંક પેન્શન સંશોધનને પંચના કાર્યક્ષેત્રથી બહાર તો નથી કરાયું ને?
રાજ્યસભામાં ઉઠેલા સવાલમાં સરકારને સીધું પૂછાયું છે કે શું પેન્શન સંશોધન 'પ્રસ્તાવિત નથી' અને જો આવું હોય તો આ ઐતિહાસિક ફેરફારનું કારણ શું? કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આ ફેરફાર લાખો પેન્શનર્સ માટે ચિંતાનો વિષય છે. સાંસદોએ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે- ડીએ અને ડીઆરને બેઝિક પેમાં મર્જ કરવાનો. મોંઘવારી ભથ્થું (DA) 50%થી ઉપર જઈ ચૂક્યું છે અને મોંઘવારી પણ ઉચ્ચ સ્તરે બનેલી છે ત્યારે આવામાં કર્મચારી સંગઠનોનું માનવું છે કે DA-DR મર્જર તત્કાળ રાહત આપી શકે છે. નાણા મંત્રાલય 2 ડિસેમ્બરે જે જવાબ આપશે તેનાથી એ સ્પષ્ટ થશે કે શું સરકાર DA-DR મર્જરને તરત લાગૂ કરવા પર વિચાર કરી રહી છે કે પછી તેને 2027માં આવનારા આઠમાં પગારના અંતિમ રિપોર્ટ સુધી ટાળવામાં આવશે.
69 લાખ પેન્શનર્સ પેન્શન સંશોધન પર નિર્ભર
લગભગ 69 લાખ પેન્શનર્સ પેન્શન સંશોધન પર નિર્ભર છે જેનાથી તેમની આવક વર્તમાન કર્મચારીઓને અનુરૂપ રહે છે. જો સરકાર આઠમાં પગાર પંચના દાયરામાંથી પેન્શન સંશોધનને હટાવી દે તો તેનાથી પેન્શન સંરચનામાં મોટો ફેરફાર આવી શકે છે અને જૂના-નવા પેન્શનરો વચ્ચે આવકનું અંતર વધી શકે છે. યુનિયનોનું કહેવું છે કે ToR માં “unfunded cost of non-contributory pension schemes” જેવી ભાષા એ સંકેત આપે છે કે સરકાર સામાજિક સુરક્ષાની જગ્યાએ નાણાકીય બોજાને પ્રાથમિકતા આપી રહી છે. જેનાથી પેન્શનર્સમાં અસંતોષ અને આશંકા વધી ગઈ છે. કર્મચારી સંગઠન અને મહાસંઘ 2 ડિસેમ્બરે આવનારા સરકારી જવાબ પર બાજ નજર રાખી રહ્યા છે. જો જવાબ કર્મચારીઓની ચિંતાઓનું સમાધાન નહીં કરે તો તેઓ પોતાનું આંદોલન તેજ કરવાની તૈયારી કરી રહ્યા છે. અનેક યુનિયનોએ પહેલેથી જ ચેતવણી આપેલી છે કે જરૂર પડ્યે દેશવ્યાપી પ્રદર્શન કરાશે. હાલ તમામ કર્મચારીઓ અને પેન્શનર્સ બે પ્રમુખ મુદ્દાઓ પર સરકારના સ્ટેન્ડની રાહ જુએ છે. શું આઠમાં પગાર પંચ હેઠળ પેન્શન સંશોધન કરાશે અને શું મોંઘવારી ભથ્થાને બેઝિક પેમાં જલદી મર્જ કરાશે? આ બંને સવાલના જવાબ કરોડો પરિવારના ભવિષ્યને સીધા અસર કરે એવું છે.