એર ઈન્ડિયા-ઈન્ડિગોએ 8 શહેરોમાં કેન્સલ કરી આજની તમામ ફ્લાઈટ, ગુજરાતના 3 એરપોર્ટ

Air India and Indigo Flights Cancel: એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સે તકેદરીના ભાગરૂપે કેટલાક શહેરો માટે ચાલતી વિમાની સેવા કેન્સલ કરી....  જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી ફ્લાઇટ્સ મંગળવાર, 13 મે માટે રદ કરવામાં આવી 

એર ઈન્ડિયા-ઈન્ડિગોએ 8 શહેરોમાં કેન્સલ કરી આજની તમામ ફ્લાઈટ, ગુજરાતના 3 એરપોર્ટ

Air India and Indigo Flights Cancel: એર ઈન્ડિયા અને ઈન્ડિગોની કેટલીક ફ્લાઈટ્સ આજે પણ રદ કરી છે. તકેદારીના ભાગરૂપે કેટલીક ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરાઈ છે. જેમાં જમ્મૂ, લેહ, જોધપુરની આજની ફ્લાઈટ્સ રદ થઈ છે. અમૃતસર, ચંદીગઢની આજની ફ્લાઈટ્સ રદ થઈ છે. તેમજ ભુજ, જામનગર અને રાજકોટ જતી-આવતી ફ્લાઈટ્સ રદ કરાઈ છે. 

ગઈકાલે પણ દેખાયા હતા ડ્રોન
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે પરંતુ આપણો પાડોશી દેશ તેની નાપાક પ્રવૃત્તિઓ બંધ કરી રહ્યો નથી. ગઈકાલે રાત્રે પણ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ડ્રોન જોવા મળ્યા હતા, જેના કારણે સાંબા, કઠુઆ, રાજૌરી અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ લગાવી દેવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાને થોડા સમય પછી ડ્રોન હુમલો બંધ કરી દીધો હતો, પરંતુ બે એરલાઇન કંપનીઓએ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિઓને કારણે કેટલાક એરપોર્ટ પર તેમની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

 

— IndiGo (@IndiGo6E) May 12, 2025

 

કઈ બે એરલાઈન્સ કંપનીઓે ફ્લાઈટ રદ કરી છે?
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ 13 મે સુધી કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે. આ સાથે, બંને કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી પણ જારી કરી છે.

 

We are monitoring the situation and will keep you updated.

For more…

— Air India (@airindia) May 12, 2025

 

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને, ઇન્ડિગોએ 13 મે, 2025 ના રોજ જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, શ્રીનગર, લેહ અને રાજકોટની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. સુરક્ષા કારણોસર ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ આ રૂટ પર તેમની ફ્લાઇટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ સાથે, મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે મુસાફરી કરતા પહેલા, બધા મુસાફરોએ તેમની ફ્લાઇટની સ્થિતિની પુષ્ટિ કરવા માટે સંબંધિત એરલાઇનની વેબસાઇટ અથવા એપ્લિકેશનની મુલાકાત લેવી જોઈએ.

એર ઇન્ડિયાએ ટ્વિટર પર એ પણ પોસ્ટ કર્યું છે કે નવીનતમ ઘટનાક્રમ અને તમારી સલામતીને ધ્યાનમાં રાખીને, મંગળવાર, 13 મેના રોજ જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમને અપડેટ આપતા રહીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news