Sachin Vaze Case: એક VIDEO એ ખોલી શરદ પવારના દાવાની પોલ, જાણો શું છે મામલો
મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હી: મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહના પત્ર બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે અને ભાજપે મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ મોરચો ખોલી નાખ્યો છે. આ બધા વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની વાત રજુ કરી અને ગૃહમંત્રી અનિલ દેશમુખનો બચાવ કર્યો. પરંતુ શરદ પવાર હવે પોતાના દાવા પર જ સવાલના ઘેરામાં આવી ગયા છે. ભાજપે અનિલ દેશમુખનો એક વીડિયો શેર કરીને સવાલ ઉઠાવ્યા છે.
અનિલ દેશમુખ-સચિન વાઝેની મુલાકાત પર શરદ પવારનો દાવો
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે અનિલ દેશમુખ અને સચિન વાઝે વચ્ચે વાતચીતના આરોપ ખોટા છે. કારણ કે ફેબ્રુઆરી મહિનામાં અનિલ દેશમુખ હોસ્પિટલમાં દાખલ હતા. આવામાં ફેબ્રુઆરીમાં દેશમુખ અને સચિન વચ્ચે વાતચીતનો આરોપ ખોટો છે. પવારે આ દરમિયાન દેશમુખ હોસ્પિટલમાં દાખલ થયા હતા તેની પરચી પણ બતાવી.
શરદ પવાર (Sharad Pawar) બચાવ કરતા કહ્યું કે કોરોનાના કારણે 5થી 15 ફેબ્રુઆરી સુધી તેઓ નાગપુરની હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તેઓ હોમ આઈસોલેટ હતા. તેમણે કહ્યું કે સ્પષ્ટ છે કે આરોપ ખોટા છે. આવામાં અનિલ દેશમુખ (Anil Deshmukh) ના રાજીનામાનો સવાલ ઉઠતો નથી. પરમબીર સિંહના આરોપોથી મહાવિકાસ આઘાડી સરકાર પર કોઈ અસર પડશે નહીં.
ભાજપે શરદ પવારના આ દાવાને ખોટો ગણાવ્યો
શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપે તેના દાવાને ખોટા ગણાવ્યા અને ભાજપના આઈટી સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયએ દાવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે અનિલ દેશમુખનો એક વીડિયો રિટ્વીટ કર્યો. જેમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. અમિત માલવીયએ આરોપ લગાવ્યો કે 'શરદ પવારનો દાવો છે કે અનિલ દેશમુખ 5-15 ફેબ્રુઆરી હોસ્પિટલમાં અને 16-27 ફેબ્રુઆરી હોમ આઈસોલેશનમાં હતા. પરંતુ અનિલ દેશમુખ 15 ફેબ્રુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.'
Sachin Vaze Case: અનિલ દેશમુખની ખુરશી બચાવવા શરદ પવાર મેદાનમાં, વાઝે-દેશમુખની મુલાકાત પર કર્યો ચોંકાવનારો ખુલાસો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube