JNU વિદ્યાર્થી શરજીલ ઇમામનો વધુ એક વીડિયો વાયરલ, જામિયાની બહાર આપી ધમકી

JNUના વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જામિયા યૂનિવર્સિટીની બહારનો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શરજીલ ચક્કાજામ કરવા સહિત ઘણા ભડકાઉ વાતો કહી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ SITના ડીસીપી રાજેશ દેવના અનુસાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે.

JNU વિદ્યાર્થી શરજીલ ઇમામનો વધુ એક વીડિયો વાયરલ, જામિયાની બહાર આપી ધમકી

નવી દિલ્હી: JNUના વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જામિયા યૂનિવર્સિટીની બહારનો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શરજીલ ચક્કાજામ કરવા સહિત ઘણા ભડકાઉ વાતો કહી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ SITના ડીસીપી રાજેશ દેવના અનુસાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે. શરજીલે દિલ્હીમાં ભટકાઉ ભાષણ આપ્યું હતું. શરજીલે 13 ડિસેમ્બર 2019ના રોજ દિલ્હીના જામિયામાં ચક્કાજામ કરનાર ભડકાઉ ભાષણ આપ્યું હતું જે દેશ હિત વિરૂદ્ધ હતું.  

વીડિયો શરજીલ કહેતો જોવા મળી રહ્યો છે કે અમારી ઇચ્છા એ છે કે દિલ્હીમાં ચક્કાજામચક્કાજામ થાય અને ના ફક્ત દિલ્હીમાં જ નહી, જે શહેરમાં મુસલમાન કરી શકે છે. મુસલમાન હિંદુસ્તાનના 500 શહેરોમાં  ચક્કાજામ કરી શકે છે. હવે તેમાં રોડ બ્લોક કોણ છે. રોડ બ્લોક ભાજપ અથવા કોંગ્રેસ નથી. રોડ બ્લોક છે જમીયત ઉલેમા એ હિંદ. રોડ બ્લોક છે જમાત-એ-ઇસ્લામી. શું મુસલમાનોની એટલી હેસિયત નથી કે ઉત્તર ભારતના શહેરોને બંધ ના કરી શકે. 

વીડિયોમાં શરજીલે એ પણ કહ્યું કે તમે જણાવો કે યૂપીમાં મુસલમાનોની શહેરી વસ્તી 30 ટકાની ઉપર છે. અરે ભાઇ શર્મ કરો. બીજી વસ્તુ, બિહારમાં જે વિસ્તારમાંથી આવે છે. અહીં વસ્તી 6 ટકા છે. શહેરી વસ્તી 24 ટકા છે. સમજાઇ રહ્યું છે કે હિન્દુસ્તાનનો મુસલમાન શહેરી છે. શહેર બંધ કરો અને જે કોઇ રસ્તા પર લઇ જાવ તેને ભગાવો.  

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હત્લ. શરજીલ વિરૂદ્ધ આઇપીસી કલમ 124A, 153A અને કલમ 505 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શરજીલની શોધ ચાલુ છે. તમને જણાવી દઇએ કે અસમને દેશથી તોડવાની ધમકી આપનાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)ની શોધખોળ તેજ થઇ ગઇ છે. 

યૂપી પોલીસની 2 ટીમો દિલ્હીમાં ઉપલબ્ધ છે અને શરજીલની શોધ ચાલુ છે. શરજીલને પકડવા માટે અલીગઢ પોલીસે 2 અલગ-અલગ ટીમો બનાવી છે. તેના લોકેશનને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે અને અલીગઢથી પોલીસની ટીમે તેને પકડીને દિલ્હી પહોંચાડી દીધો છે. બીજી તરફ શરજીલ વિરૂદ્ધ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે પણ એફઆઇઆર દાખલ કરી લીધી છે. 

અલીગઢ પોલીસે શરજીલ ઇમામ વિરૂદ્ધ દેશદ્વોહનો કેસ દાખલ કર્યો છે. એફઆઇઆરમાં શરજીલ ઇમામના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે, જેમાં શરજીલે અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને સૈયદ બાબે વિસ્તારમાં ચાલી રહેલા CAAના વિરોધમાં ભડકાઉ નિવેદનબાજી કરી હતી અને નોર્થ ઇસ્ટને તોડવાની વાત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news