)
Maharashtra Meat Ban: મહારાષ્ટ્રમાં સ્વતંત્રતા દિવસ પર ઘણી મ્યુનિસિપલ સંસ્થાઓએ કતલખાનાઓ બંધ કરવાનો અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. શાસક પક્ષો તેને યોગ્ય ઠેરવી રહ્યા છે, જ્યારે વિપક્ષી પાર્ટીઓ તેને લોકોની ખાનપાનની આઝાદી પર હુમલો ગણાવી રહ્યા છે. આ દરમિયાન શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભા સભ્ય સંજય રાઉતે ટિપ્પણી કરતા કથિત રીતે બધા શાકાહારીઓને નપુંસક કહ્યા દીધા, જેનાથી વિવાદ વધુ વધી ગયો. ભાજપે રાઉત પર નિશાન સાધ્યું એને આ નિવેદન માટે તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે.
હાલમાં જ સંજય રાઉતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા લોકોની ખાવાની આઝાદી છીનવી લેવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, 'સરકાર કેવી રીતે લોકોને નોનવેજ ખાવાથી રોકી શકે છે? આવા પ્રતિબંધ શા માટે લાદવામાં આવે છે? શું તેઓ લોકોને નપુંસક બનાવવા માંગે છે?'
રાઉતના નિવેદન પર સીએમ ફડણવીસનો વળતો પ્રહાર
રાઉતના આ નિવેદન પર બુધવારે ફડણવીસે વળતો પ્રહાર કરતા કહ્યું કે, કેટલાક લોકો હવે શાકાહારીઓને નપુંસક કહી રહ્યા છે. સીએમ ફડણવીસે જવાબ આપતા કહ્યું કે, 'કેટલાક લોકો હવે શાકાહારીઓને નપુંસક કહેવા લાગ્યા છે. આ મૂર્ખતા બંધ થવી જોઈએ. દરેક વ્યક્તિને તે નક્કી કરવાનો અધિકાર છે કે, શું ખાવું અને શું નહીં. સંવિધાન બધાને જીવવાનો અધિકાર આપ્યો છે.'
ભાજપ મીડિયા સેલના પ્રમુખ નવનાથ બાને ગુરુવારે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને રાઉત પાસેથી બિનશરતી માફીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'રાઉતે વારકરી, દારકરી, માલકારી, નાથ સંપ્રદાય અને ભાગવત જેવા સમુદાયોનું અપમાન કર્યું છે, જેઓ સદીઓથી કડક શાકાહારી રહ્યા છે. શું રાઉતનો અર્થ એ છે કે બધા શાકાહારીઓ નપુંસક છે?'
'નાથ સંપ્રદાય પોતાની બહાદુરી માટે જાણીતો છે'
વારકરી, દારકારી અને માલકારી શબ્દો વારકરી ભક્તિ આંદોલન સાથે સંકળાયેલા છે, જે પંઢરપુર મંદિરના પ્રમુખ દેવતા ભગવાન વિઠ્ઠલની પૂજા પર કેન્દ્રિત છે. ભાજપના નેતાએ કહ્યું કે, "રાજનીતિ કરવાનો અધિકાર બધાને છે. તેઓ સરકાર પર હુમલો કરી શકે છે. પરંતુ જ્યારે તમે શાકાહારીઓને ખુલ્લેઆમ નપુંસક કહો છો, ત્યારે તે ઘૃણાસ્પદ છે. આ એવા સમુદાયો માટે અત્યંત અપમાનજનક અને અપમાનજનક છે. જેમણે આધ્યાત્મિક અને યુદ્ધ બન્ને જ રીતે સમાજ માટે પુષ્કળ યોગદાન આપ્યું છે." બાને વધુમાં કહ્યું કે, "નાથ સંપ્રદાય પોતાની બહાદુરી માટે જાણીતો છે. તેઓએ આક્રમણકારો સામે ઘણી લડાઈઓ લડી અને જીતી. જો કોઈ શાકાહારી સમુદાયો પર પ્રશ્ન ઉઠાવશે અને તેમને નપુંસક કહેશે, તો ભાજપ તેને સહન કરશે નહીં."
ભાજપની રાઉતને ચેતવણી
બાને સંજય રાઉતે ચેતવણી આપતા કહ્યું કે, 'રાઉતે તાત્કાલિક આ બધા સમુદાયોની માફી માંગવી જોઈએ. નહીંતર અમારે રસ્તા પર ઉતરવા માટે મજબૂર થવું પડશે.' તેમણે રાજ્ય સરકારના વિકાસ કાર્ય પર સવાલ ઉઠાવવા બદલ શિવસેના (UBT) સાંસદની પણ ટીકા કરી. તેમણે વધુમાં કહ્યું કે, 'ટઅટલ ડેટુ, કોસ્ટલ રોડ, બીડીડી ચોલ, ધારાવી, મેટ્રો, સમૃદ્ધિ એક્સપ્રેસવે. આ લિસ્ટ લાંબી છે. અને આ વિકાસ કાર્યોએ મહારાષ્ટ્રનો ચહેરો બદલી નાખ્યો છે.'
શું છે આખો મામલો?
મહારાષ્ટ્રના કેટલાક નાગરિક સંગઠનો - નાગપુર, કલ્યાણ-ડોંબિવલી, માલેગાંવ અને જલગાંવે 15 ઓગસ્ટના રોજ 24 કલાક માટે કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. કલ્યાણ-ડોંબિવલી નાગરિક સંસ્થા, જેણે સૌપ્રથમ આ સૂચના જાહેર કર્યુ હતું. તેમણે કહ્યું કે, આ પ્રતિબંધ બકરા, ઘેટાં, મરઘીઓ અને મોટા પ્રાણીઓનો વેપાર કરતા તમામ લાઇસન્સ પ્રાપ્ત કસાઈઓ પર લાગુ થશે, જે 14 ઓગસ્ટની મધ્યરાત્રિથી અમલમાં આવશે.