Bharat Bandh Today: ટ્રેડ યુનિયનો દ્વારા આજે ભારત બંધનું એલાન જાહેર કરાયું છે. 25 કરોડથી વધુ કર્મચારીઓ તેમાં ભાગ લઈ રહ્યા હોવાનો દાવો કરાયો છે ત્યારે આજે શું ખુલ્લું હશે અને કઈ સેવા ખોરવાય તેવી શક્યતા છે તે ખાસ જાણવું જરૂરી છે.

Bharat Bandh Effect: અનેક સંગઠનોએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે. આવામાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાળ છે. જેમાં 25 કરોડથી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ કર્મચારીઓ કેન્દ્ર સરકાર પર મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓનો આરોપ લગાવતા પ્રદર્શન કરી રહ્યા છે. આ હડતાળનું આહ્વાન 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના જોઈન્ટ મંચે કર્યું છે. જેમાં ખેડૂત સંગઠનો અને ગ્રામીણ મજૂર યુનિયનોનું પણ સમર્થન છે.
હડતાળના કારણે બેંકિંગ, પોસ્ટ સેવા, પરિવહન, ઔદ્યોગિક ઉત્પાદન, વીજળી આપૂર્તિ જેવી જરૂરી જાહેર સેવાઓ ખોરવાય તેવી સંભાવના છે. જો કે અનેક વેપારી સંગઠનોનું કહેવું છે કે લોકોના રોજબરોજના કામકાજ પર આ ભારત બંધની કોઈ ખાસ અસર પડશે નહીં.
શું શું પ્રભાવિત થઈ શકે
- બેંકિંગ સેવાઓ
- પોસ્ટ વિભાગ
- કોલસા ખનન અને ઔદ્યોગિક ઉત્પાદન
- રાજ્ય પરિવહન સેવાઓ
- સરકારી કાર્યાલય અને જાહેર ક્ષેત્રના એકમો
- ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત રેલીઓ
શું ખુલ્લું રહેશે
- શાળા કોલેજો
- ખાનગી ઓફિસો
- ટ્રેન સેવાઓ (જો કે વિલંબ થઈ શકે છે.)
AITUC ની અમરજીત કૌરે પીટીઆઈને જણાવ્યું કે ખેડૂત અને ગ્રામીણ શ્રમિકો પણ આ દેશવ્યાપી હડતાળમાં સામેલ થશે. સરકારે અમારી 17 પોઈન્ટવાળી માંગણીઓને નજરઅંદાજ કરી છે અને છેલ્લા 10 વર્ષમાં શ્રમ સંમેલન પણ બોલાવ્યું નથી.
વીજળી અને બેંક સેવાઓ પર અસર
હિન્દુ મજૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ કહ્યું કે બેંકિંગ, પોસ્ટ, કોલસા ખનન, ફેક્ટરીઓ અને રાજ્ય પરિવહન સેવાઓ હડતાળથી પ્રભાવિત થશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) સાથે જોડાયેલા બંગાળ પ્રાંતીય બેંક કર્મચારી સંઘે પુષ્ટિ કરી કે બેકિંગ અને વીમા બંને ક્ષેત્ર આ હડતાળમાં ભાગ લઈ રહ્યા છે. જો કે આજે ઔપચારિક બેંક રજા નથી પરંતુ શાખાઓ અને એટીએમમાં સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
વીજળી આપૂર્તિ ઉપર પણ અસર પડી શકે છે. કારણ કે 27 લાખથી વધુ વીજળી ક્ષેત્રના કર્મચારીઓ હડતાળમાં સામેલ થાય તેવી શક્યતા છે. રેલવે તરફથી આ હડતાળ અંગે કોઈ અધિકૃત નોટિસ નથી પરંતુ વિલંબની શક્યતા છે.
વ્યાપક વિરોધ આંદોલન
આ વિરોધ ફક્ત ઔપચારિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. અનૌપચારિક ક્ષેત્ર, સ્વરોજગાર સમૂહ જેમ કે સેલ્ફ એમ્પ્લોઈડ વિમેન્સ એસોસિએશન (સેવા) અને ગ્રામીણ સમુદાયોએ પણ તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આંદોલનને સંયુક્ત કિસાન મોરચા જેવા કિસાન સંગઠનોનું પણ સમર્થન મળ્યું છે. જે પહેલા કૃષિ કાયદાના વિરોધમાં અગ્રણી ભૂમિકામાં હતા. રેલવે, NMDC લિમિટેડ, સ્ટીલ પ્લાન્ટ્સ જેવા જાહેર ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળના સમર્થનમાં છે.
હડતાળની અસર, શું શું બંધ રહેશે?
બેંક અને વીમો
પબ્લિક સેક્ટરની બેંકો અને વીમા કંપનીઓના કર્મચારીઓ હડતાળ પર રહેશે જેનાથી લેવડ દેવડ અને ચેક ક્લિયરન્સ પ્રભાવિત થઈ શકે છે. અત્રે જણાવવાનું કે બેંક યુનિયનોએ અલગથી સેવાઓ ખોરવાઈ જવા અંગેની પુષ્ટિ કરી નથી. પરંતુ હડતાળ આયોજકોનું કહેવું છે કે પબ્લિક સેક્ટર અને કોઓપરેટિવ બેંકોના કર્મચારીઓ સામેલ છે.
શેર માર્કેટ અને બુલિયન માર્કેટ
કાલે એટલે કે 9 જુલાઈના રોજ શેર બજાર અને શરાફા માર્કેટ બંને ખુલ્લા રહેશે.
પોસ્ટ સેવાઓ
પોસ્ટ ઓફિસ અને કુરિયર સેવાઓ ખોરવાય તેવી આશંકા છે.
કોલસા ખનન અને ફેક્ટરીઓ
કોલ ઈન્ડિયા અને અન્ય જાહેર સાહસોમાં કામ ઠપ્પ રહી શકે છે.
સરકારી પરિવહન
અનેક રાજ્યોમાં બસો અને ટેક્સી સેવાઓ પ્રભાવિત થશે. પરંતુ પ્રાઈવેટ વાહનો ચાલતા રહેશે.
રેલવે
જો કે રેલવે યુનિયનોએ ઔપચારિક હડતાળ નથી કરી પરંતુ કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનોથી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ શકે છે.
કયા કયા યુનિયનો હડતાળમાં સામેલ છે?
આ ભારત બંધમાં નીચે જણાવેલા પ્રમુખ યુનિયનો સામેલ છે.
- ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)
- ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)
- હિન્દ મજદૂર સભા(HMS)
- સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)
- ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC)
- ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC)
- સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિએશન(SEWA)
- ઓલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU)
- લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)
- યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)
હડતાળના મુખ્ય કારણ
1. શ્રમ સુધારાનો વિરોધ
યુનિયનોનું કહેવું છે કે સરકારના 4 નવા લેબર કોડ મજૂરોના અધિકારોને નબળા કરે છે. જેમાં યુનિયન ગતિવિધિઓ મર્યાદિત કરવી, કામના કલાકો વધારવા અને નોકરીઓને અસુરક્ષિત બનાવવી સામેલ છે.
2. ખાનગીકરણ અને કોન્ટ્રક્ટ પ્રથા
જાહેર સાહસોના ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પર નોકરીઓને વધારવાની નીતિનો વિરોધ.
3. ખેડૂતોના મુદ્દા
સંયુક્ત કિસાન મોરચો પણ હડતાળમાં જોડાઈ રહ્યો છે અને MSP ગેરંટી, કૃષિ કાયદા અંગે સરકાર પર દબાણ કરી રહ્યું છે.
4. મોંઘવારી અને બેરોજગારી
યુનિયનોનો આરોપ છેકે સરકારે મજૂરો માટે ન્યૂનતમ મજૂરી વધારવા, પેન્શન યોજના બહાલ કરવા અને રોજગાર સર્જનની માંગણીઓ નજરઅંદાજ કરી છે.
યુનિયનોની માંગણીઓ
4 લેબર કોડ પાછા લાવવામાં આવે.
જાહેર ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ રોકવામાં આવે.
લઘુત્તમ મજૂરી ₹26,000 માસિક કરવામાં આવે.
જૂની પેન્શન યોજના (OPS) બહાલ કરવામાં આવે.
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગાર ગેરંટી યોજનાનો વિસ્તાર કરવામાં આવે.
-