વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, જીત માટે મારા ભરોસે ન રહો

દિલ્હીના રામલીલા મેદાન પર ભાજપ દ્વારા આયોજીત રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવી અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા

વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે, જીત માટે મારા ભરોસે ન રહો

નવી દિલ્હી : દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રદાન મોદીએ કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો અને મિશન 2019 માટે કાર્યકર્તાઓને તૈયારીમાં લાગી જવાનો કારણે સંદેશ આપતા મોદીએ તેમને ચેતવણી આપી હતી. વડાપ્રધાન મોદીએ શનિવારે પુર્ણ થયેલા અધિવેશનમાં કહ્યું કે, કાર્યકર્તાઓને સંગઠનનું મહત્વ ન ભુલવું જોઇએ અને તેમને લોકસભા ચૂંટણીમાં જીત માટે કોઇ એક પર નિર્ભર જ રહેવું જોઇએ. તેમણે કાર્યકર્તાઓને પોલિંગ બૂથ મજબુત કરવા અને સંપુર્ણ શક્તિ સાથે ચૂંટણી માટે એકત્ર થવાનું આહ્વાન કર્યું. 

વડાપ્રધાન મોદીએ ક્હયું કે, એક હવા ફેલાઇ છે કે મોદી આવશે બધુ સારૂ કરી દેશે, બધુ જ જીતી જશે બાજી પલટી દેશે. આ સાંભળવામાં તો જરૂર સારુ થશે.  જો કે  કહેવા માંગુ છું કે મોદી પણ સંગઠનનું જ બાળક છે. હાલ અમારી કડક પરીક્ષા થવાની બાકી છે.  આપણે આવી મીઠી વાતોથી ફોસલાઇ શકીએ છીએ. શનિવારે પોતાની 80 મિનિટનાં ભાષણમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષનાં ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, એક મજબુત સરકાર અને એક મજબુર સરકાર વચ્ચે ચૂંટણી કરવાની છે. તેમણે પાર્ટીને ચેતવણી આપી કે અમે આત્મસંતોષ સાથે જ નહી બેસવાનું છે. તેમણે કહ્યું કે, વરસાદ બીજ માટે સારી હોય છે. જો કે અમને નથી ખબર કે ખેડૂત તેને યોગ્ય સમય પર નહી વાવીએ અને બીજનો કોઇ અર્થ રહી જશે? આ પ્રકારે અમને ચૂંટણી ફિલ્ડની તૈયારી કરવાની હોય છે. મારૂ બુથ સૌથી મજબુત હોય, આ જ અમારી જીતનો મંત્ર હોવો જોઇએ. 

વડાપ્રધાન મોદીએ અધિવેશનમાં કોંગ્રેસ પર હૂમલો કરતા પોતાના મુખ્યમંત્રી કાળનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોમાં સીબીઆઇ પર પ્રતિબંધનું ઉદાહરણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વ્યંગ કરતા કહ્યું કે, આ લોકોએ એવું કામ કર્યું છે કે તેમની ઉંઘ હરામ થઇ ગઇ અને તેને ડર લાગી રહ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો 12 વર્ષ સુધી સતત કોંગ્રેસ, તેનાં સાથીઓ અને તેના ઇશારા પર ચાલનારી સિસ્ટમ રિમોટથી ચાલનારા નેતાઓ અને અધિકારીઓએ તેમની સંપુર્ણ સલ્તનતે દરેક પદ્ધતી મને પરેશાન કરવાનું કામ કર્યું હતું. તે લોકોએ એક પણ નહોતી છોડી. 

કોંગ્રેસની ગત્ત સરકાર પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, તેમની એક પણ એજન્સી એવી નહોતી જેણે મને સતાવ્યા ન હોય. એટલું જ નહી 2007માં  કોંગ્રેસે એક મોટા નેતા (જે મંત્રી હતા) ગુજરાત આવ્યા તો ચૂંટણી સભામાં દાવો કરી દીધો હતો કે મોદી થોડા મહિનાની અંદર જેલમાં જતા રહેશે. વિધાનસભામાં કોંગ્રેસનાં નેતાઓ ભાષણ આપતા હતા કે મોદી જેલ જવા માટે તૈયાર રહે, હવે મુખ્યમંત્રી હોય તો જેલની સફાઇ યોગ્ય રખાવો કારણ કે તમારે ત્યાં જ દિવસો પસાર કરવાનાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news