)
નવી દિલ્હીઃ દેશના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ અનો ગોપનિયતાના શપથ અપાવ્યા છે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન રાજીનામું આપનાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોવા મળ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણને જીત મેળવી હતી. તેમને ચૂંટણીમાં 452 મત મળ્યા હતા. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ 152 મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષના ઉમેદવારને 300 મત મળ્યા હતા.
#WATCH | C.P. Radhakrishnan takes oath as the 15th Vice President of India. President Droupadi Murmu administers the Oath of Office to him.
(Video Source: DD) pic.twitter.com/I91ezMHd2w
— ANI (@ANI) September 12, 2025
સીપી રાધાકૃષ્ણને એક દિવસ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ અને હામિસ અંસારી પણ હાજર રહ્યાં હતા.
21 જુલાઈએ જગદીપ ધનખડે આપ્યું હતું રાજીનામું
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યા છે. તેમણે 21 જુલાઈએ અચાનક સ્વાસ્થ્યનો હવાલો આપતા ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાના લગભગ 53 દિવસ બાદ ધનખડ કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યા છે.