Cabinet Expansion પહેલા PM Modi કરશે ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ અને અમિત શાહ સહિત અનેક મંત્રીઓ સામેલ થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નિવાસ સ્થાને કેબિનેટ વિસ્તરણ (Cabinet expansion) પહેલા એક મહત્વની બેઠક થવાની છે.

Cabinet Expansion પહેલા PM Modi કરશે ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ અને અમિત શાહ સહિત અનેક મંત્રીઓ સામેલ થશે

નવી દિલ્હી: મંગળવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નિવાસ સ્થાને કેબિનેટ વિસ્તરણ (Cabinet expansion) પહેલા એક મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી, અને નરેન્દ્ર સિંહ તોમર સામેલ થશે. પીએમ મોદીએ બે અઠવાડિયા પહેલા તમામ મંત્રીઓના મંત્રાલયના કામકાજની સમીક્ષા બાદ તેમની પાસે આવનારા સમયમાં તેમના મંત્રાલય શું શું પ્લાનિંગ કરી રહ્યા છે તે અંગે પણ રિપોર્ટ માંગ્યો હતો. 

બે દિવસની અંદર થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ
અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ (Cabinet expansion)  આ અઠવાડિયે કરવામાં આવશે. જેમાં 20થી 22 મંત્રીઓ શપથ લઈ શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 6થી 8 જુલાઈ વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 53 મંત્રીઓ સામેલ છે. વિસ્તરણ બાદ 81 સભ્યો થઈ શકે છે. ગઠબંધન પક્ષો પણ આ વખતે મોદી મંત્રીમંડળનો ભાગ બની શકે છે. અને જેડીયુ, એલજેપી ઉપરાંત અપના દળના કોટામાંથી પણ નેતા શપથ લઈ શકે છે. 

કયા રાજ્યથી કેટલા બની શકે છે મંત્રી
ઉત્તર પ્રદેશ- મોદી મંત્રીમંડળમાં ઉત્તર પ્રદેશથી 3 સંચાર મંત્રી સામેલ કરાશે. અપના દળના અનુપ્રિયા પટેલને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે. 

બિહાર- મંત્રીમંડળમાં બિહારના બેથી 3 નેતાઓને સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ, અને એલજેપીમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે. 

મધ્ય પ્રદેશ- કેબિનેટમાં મધ્ય પ્રદેશથી એક થી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે. 

મહારાષ્ટ્ર- મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રથી એક કે બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં નારાયણ રાણેનું નામ સામેલ છે. 

જમ્મુ-કાશ્મીર અને લદાખ- કેબિનેટમાં જમ્મુ-કાશ્મીર અને લદાખથી એક એક મંત્રીને જગ્યા મળી શકે છે. 

રાજસ્થાન- રાજસ્થાનથી પણ મોદી કેબિનેટમાં એક મંત્રીને સામેલ કરવામાં આવી શકે છે. 

અસમ- કેબિનેટમાં અસમથી એક કે બે મંત્રી સામેલ થઈ શકે છે. જેમાં અસમના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું નામ સૌથી આગળ છે. 

પશ્ચિમ બંગાળ- મોદી કેબિનેટમાં બંગાળથી બે નેતાઓને જગ્યા મળી શકે છે. જેમાં ભીજપના સાંસદ શાંતનુ ઠાકુર અને નિસિથ પ્રમાણિકના નામ આગળ છે. આ ઉપરાંત ઓડિશાથી પણ એક મંત્રી કેબિનેટમાં સામેલ થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news