ક્યારે શરૂ થઈ, છેલ્લી વખત ક્યારે થઈ અને શું થશે ફાયદો? જાણો જાતિગત વસ્તી ગણતરી સાથે જોડાયેલી 5 વાતો
Caste Survey: અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, કેટલાક રાજ્યોએ જાતિગત વસ્તી ગણતરી માટે સર્વે કર્યા છે, જ્યારે કેટલાક અન્ય રાજ્યોએ સંપૂર્ણપણે રાજકીય દૃષ્ટિકોણથી બિન-પારદર્શક રીતે આવા સર્વે કર્યા છે.
Trending Photos
Caste Census: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા જઈ રહી છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (30 એપ્રિલ 2025) કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આપી હતી. દેશમાં શરૂ થનારી વસ્તી ગણતરી સાથે તેના ડેટા પણ એકત્રિત કરવામાં આવશે. વસ્તી ગણતરીના ફોર્મમાં જ જાતિ માટે એક કોલમ પણ રાખવામાં આવશે. આ મુદ્દે વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા.
1. સમાજની વસ્તીની ગણતરી, તેમનું વર્ણન કરવું, તેમને સમજવાની સાછે જ લોકોની કઈ વસ્તુ સુધી પહોંચ છે અને તેઓ કઈ વસ્તુઓથી વંચિત રાખવામાં આવ્યા છે તે જાણવું ફક્ત સામાજિક વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ નીતિ નિર્માતાઓ અને સરકાર માટે પણ મહત્વપૂર્ણ છે.
2. આ માટે વસ્તી ગણતરી એ એક પ્રકારની પ્રક્રિયા છે. જો કે, વસ્તી ગણતરીના ટીકાકારો માને છે કે સામાજિક માળખાને સંપૂર્ણ રીતે સમજવા માટે જાતિગત વસ્તી ગણતરી નિયમિતપણે હાથ ધરવામાં આવવી જોઈએ.
3. પ્રથમ જાતિગત ગણતરી સામાજિક-આર્થિક અને જાતિગત વસ્તી ગણતરી (SECC) તરીકે 1931માં હાથ ધરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિને તેનું જાતિનું નામ પૂછવાનો હતો, જેથી સરકાર પુનઃમૂલ્યાંકન કરી શકે કે કયા જાતિ જૂથો આર્થિક રીતે સૌથી ખરાબ હતા અને કયા વધુ સારા હતા.
4. જાતિગત વસ્તી ગણતરીનો હેતુ ફક્ત અનામતનો મુદ્દો જ નથી, પરંતુ જાતિગત વસ્તી ગણતરી મોટી સંખ્યામાં એવા મુદ્દાઓને આગળ લાવશે જેના પર કોઈપણ લોકશાહી દેશને ધ્યાન આપવાની જરૂર છે, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા વંચિત લોકોની સંખ્યા અથવા તેઓ કયા પ્રકારનો વ્યવસાય કરે છે. આનાથી વધુ સારી નીતિઓ અને વ્યૂહરચના બનાવવામાં મદદ મળશે. આ ઉપરાંત સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ તર્કસંગત ચર્ચા પણ થશે.
5. જો કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ધર્મો અને ભાષાકીય પ્રોફાઇલ માટે વસ્તી ગણતરીનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે