Bihar: ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર માટે આપ્યા આટલા રૂપિયા

Chirag Paswan Latest Statement: પાસવાને ટ્વીટ કર્યુ, વંચિત વર્ગથી આવતા શ્રીરામના પરમભક્ત માતા શબરીના વંશજ જોવાને કારણે આપણા બધાનું કર્તવ્ય છે કે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણમાં પોત-પોતાની ભાગીદારી આપે. 
 

Bihar: ચિરાગ પાસવાને પોતાને ગણાવ્યા શબરીના વંશજ, રામ મંદિર માટે આપ્યા આટલા રૂપિયા

પટનાઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) ના અધ્યક્ષ ચિરાગ પાસવાન (Chirag Paswan) એ ખુદને શબરી (Shabari) વંશજ ગણાવ્યા છે. પોતાના પરિવારને ભગવાન રામની સાથે જોડતા પાર્ટી ચીફે અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે એક લાખ 11 હજાર રૂપિયાનું દાન કર્યું છે. શનિવારે રામ નામના મહિમાના ગુણગાન કરતા ચિરાગ પાસવાને કહ્યુ, મંદિર નિર્માણના આ શુભ કામમાં સહભાગીદારી કરવી સમાજના વંચિત તબક્કાના દરેક વ્યક્તિનું કર્તવ્ય છે. 

માતા શબરીના વંશજ જોવા પર ગર્વ- ચિરાગ
તેમણે ટ્વીટ કર્યુ, આજના સમાજને શ્રીરામ તથા માતા શબરી વચ્ચે સ્નેહના સંબંધને સમજવો પડશે. દલિત સમાજના બધા ભાઈ-બહેનોને પ્રેમ અને સન્માનની જરૂર છે, જેથી સામાજીક પ્રેમ હંમેશા શ્રી રામ તથા માતા શબરી જેવો બન્યો રહે. મને માતા શબરીના વંશજ હોવા પર ગર્વ છે. 

પાસવાને ટ્વીટ કર્યુ, વંચિત વર્ગથી આવતા શ્રીરામના પરમભક્ત માતા શબરીના વંશજ જોવાને કારણે આપણા બધાનું કર્તવ્ય છે કે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણમાં પોત-પોતાની ભાગીદારી આપે. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની રાજકીય જમીન ગુમાવી ચુકેલી લોક જનશક્તિ પાર્ટી ભલે સત્તામાં રહેલા એનડીએ સાથે નથી, પરંતુ ચિરાગ હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો સમર્થક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news