)
Dr. Ambedkar Inter-Caste Marriage Scheme: આજના સમયમાં લોકો ગમે તેટલા ભણેલા હોય લગ્નની વાત આવે ત્યારે મોટાભાગના લોકો હજુ પણ પોતાની જ્ઞાતિમાં જ લગ્ન કરવાનું પસંદ કરે છે. જો કે, સમયની સાથે આંતર-જ્ઞાતિય લગ્નોની સંખ્યા વધી રહી છે, તેમ છતાં તે હજુ સામાન્ય નથી. આ જાતિના ભેદભાવને સમાપ્ત કરવા અને આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ આંતરજ્ઞાતિય લગ્ન કરનારા નવદંપતીઓને સરકાર દ્વારા 2.5 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે, તેની સાથે કેટલીક શરતો જોડાયેલ છે. આ સ્કીમ વિશે અહીં જાણો.
જાણો શું છે સ્કીમ
આ સ્કીમનું નામ છે ડો. આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રુ ઈન્ટર-કાસ્ટ મેરેજ (Dr. Ambedkar Scheme for Social Integration through Inter-Caste Marriages). આ સ્કીમને ડો. આંબેડકર ફાઉન્ડેશનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ જો કોઈ યુવક કે યુવતી જે દલિત સમુદાયનો નથી, પરંતુ દલિત સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરે છે, તો તેને કેન્દ્ર સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના વર્ષ 2013માં કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે હજુ પણ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
આ છે શરતો
કેવી રીતે કરવી અરજી
કેન્દ્ર સરકારની આ સ્કીમનો લાભ લેવા માટે જો તમે પણ પાત્ર છો, તો તેનો લાભ મેળવવા માટે તમારે અરજી ભરીને તમારા વિસ્તારના સાંસદ અથવા ધારાસભ્યની ભલામણ સાથે ડો. આંબેડકર ફાઉન્ડેશનને મોકલવાની રહેશે. તમે આ એપ્લિકેશન જિલ્લા વહીવટીતંત્ર અથવા રાજ્ય સરકારને પણ મોકલી શકો છો. ત્યારબાદ જિલ્લા વહીવટ અથવા રાજ્ય સરકાર દ્વારા ડો. આંબેડકર ફાઉન્ડેશનને મોકલવામાં આવે છે. વધુ માહિતી માટે તમે http://ambedkarfoundation.nic.in/ ની મુલાકાત લઈ શકો છો. તમને વેબસાઈટના સ્કીમ વિભાગમાં આ યોજના સંબંધિત માહિતી મળશે. અરજી કરવા માટેનું ફોર્મ પણ અહીંથી ઉપલબ્ધ થશે.
આ દસ્તાવેજોની પડશે જરૂર