#MahaExitPollOnZee: સ્પષ્ટ બહુમતીથી દિલ્હીની ગાદી પર ફરી રાજ કરશે આમ આદમી પાર્ટી

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.

#MahaExitPollOnZee:  સ્પષ્ટ બહુમતીથી દિલ્હીની ગાદી પર ફરી રાજ કરશે આમ આદમી પાર્ટી

ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.

#MahaExitPollOnZee: દિલ્હીમાં BJP મારશે ઉંચી છલાંગ, પણ અમિત શાહની આશા પર ફરી વળશે પાણી

જોકે, બીજેપીએ આ વખતે ઓછામાં ઓછી 45 સીટ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. પરંતુ એક્ઝિટ પોલના આંકડા અનુસાર, તેને અપેક્ષિત સફળતા મળતી દેખાઈ નથી રહી. અત્યાર સુધી જે પણ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યા છે. તેમાં TIMES NOWએ 23 સીટ બીજેપીને મળવાની વાત કરી છે. તો મોટાભાગના પોલના આંકડા કહે છે કે, બીજેપીને 10-15 સીટ મળી શકે છે.

આ આંકડાના આધાર પર Zee News ના મહા EXIT POLL ના મુજબ, આપ પાર્ટીને 52, બીજેપીને 17 અને કોંગ્રેસને 1 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ગત વિધાનસભા ઈલેક્શનમાં આપ પાર્ટીએ 70 સીટમાંથી 67 સીટ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. જોકે, બીજેપી તરફથી અમિત શાહે આ વખતે ઓછામાં ઓછી 45 સીટ જીતવાની વાત કરી હતી. એક્ઝિટ પોલના આંકડા અનુસાર, અમિત શાહની આશા પર પાણી ફરતુ દેખાઈ રહ્યું છે. 

એક્ઝિટ પોલના આંકડા પર પ્રતિક્રીયા આપતા દિલ્હી બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, આ તમામ એક્ઝિટ પોલ ફેલ થશે. 11 ફેબ્રુઆરીના રોજ આવનાર પરિણામ બીજેપીના પક્ષમાં આવશે અને પાર્ટી ઓછામાં ઓછી 48 સીટ જીતશે. તો બીજી તરફ, AAPના નેતા સંજય સિંહે કહ્યું કે, કામના નામ પર વોટ પડે છે અને અંતિમ પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. આ હિન્દુસ્તાનનું પહેલુ એવુ ઈલેક્શન છે જ્યાં કામના નામ પર વોટ પડી રહ્યાં છે. અમે ઈલેક્શનને સાંપ્રદાયિક રંગ નથી આપ્યો. પંરતુ બીજેપીએ અરવિંદ કેજરીવાલને આતંકવાદી અને રાવણ કહ્યા. અરવિંદ કેજરીવાલની ખાંસીની મજાક ઉડાવવામાં આવી અને તેમની બીમારીને લઈને વાતો કરાઈ. હનુમાનજીના દર્શનને લઈને અશુદ્ધ થવાનું નિવેદન આપ્યું. આ તમામ નિવેદનોએ ઈલેક્શનમાં નફરત ફેલાવવાનું કામ કર્યું.

એક્ઝિટ પોલના પરિણામોને લીને સંજય સિંહે કહ્યું કે, સરકાર કોની બનશે તે જરૂરી છે. અંતિમ પરિણામ આવવા દો, શક્ય છે કે તેમને કંઈ મોટુ જોવા મળી શકે છે. તેમણે શાહીન બાગના મુદ્દા પર કહ્યું કે, ભાજપ દરેક ઈલેક્શનમાં હિન્દુ-મુસલમાન, શાહીનબાગ, આલમબાગ કરે છે. દેશ આર્થિક મંદીનો માર સહન કરી રહ્યું છે. લોકોની જિંદગીમાં તકલીફો છે. પરંતુ ભાજપ માત્ર નૌટંકી જ કરે છે. 

ઉલ્લેખનીય છે કે, તમે ZEE NEWS સાથે જોડાઈને મહા EXIT POLL  ના માધ્યમથી સૌટી સટિક પરિણામ વિશે અનુમાન લગાવી શકો છો. ZEE NEWS  પર એકસાથે તમામ EXIT POLL  જોઈ શકાશે. દિલ્હીની દરેક સીટની સટિક જાણકારી મેળવી શકશો. દિલ્હીવાસીઓના એક-એક વોટનું વિશ્લેષણ સમજી શકશો. ZEE NEWS પર Exit POLL ના પરિણામની સાથે જ #MahaExitPollOnZEE પર ટ્વિટ પણ કરી શકો છો. દિલ્હીનુ પરિણામ 11 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news