)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિર્ણયો અને નિવેદનોના કારણે જો ટ્રેન્ડ થતા હોય તો બીજી બાજુ તેઓ આ અંદાજના કારણે ટ્રોલ પણ થયા કરે છે. ક્યારેક તેઓ બે દેશો વચ્ચે લડાઈ રોકવાના દાવા કરીને નોબલ પુરસ્કાર માટે દાવો કરે છે તો ક્યારેક ટેરિફ દંડ દેખાડીને સુપર પાવર દેશના રાષ્ટ્રપતિ હોવાની ધૌંસ દેખાડે છે. ટ્રમ્પનો નવો દાવો ભારત-અમેરિકાની સંભવિત ટ્રેડ ડીલ અંગે આવ્યો છે જેમાં ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ તેમના તેવર નરમ પડી રહ્યા હોય તેવું દેખાય છે. આમ તો ભારત અને અમેરિકા માર્ચ મહિનાથી દ્વિપક્ષીય વેપાર સમજૂતિ પર વાતચીત કરી રહ્યા છે પરંતુ કોઈ વાત થઈ શકી નથી.
રસ્તો કાઢવાની કોશિશ ચાલુ- ટ્રમ્પ
ભારત-અમેરિકા વચ્ચે આ વર્ષે પાંચ દૌરની વાતચીત થઈ ચૂકી છે. લેટેસ્ટ સ્થિતિ વિશે ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી છે જેમાં કહ્યું છે કે મને આ જાહેરાત કરતા ખુશી થાય છે કે ભારત અને અમેરિકા, બંને દેશો વચ્ચે વેપાર બાધાઓ દૂર કરવા માટે વાતચીત ચાલુ છે. હું આવનારા કેટલાક દિવસોમાં મારા ખુબ સારા મિત્ર, પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરવા માટે બેચેન છું. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા બંને મહાન દેશો માટે મળીને એક સફળતાવાળો રસ્તો કાઢવાની એટલે કે સફળ તારણ પર પહોંચવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.
US President Donald Trump posts, "I am pleased to announce that India, and the United States of America, are continuing negotiations to address the trade barriers between our two nations. I look forward to speaking with my very good friend, Prime Minister Modi, in the upcoming… pic.twitter.com/pDBB4KZh46
— ANI (@ANI) September 9, 2025
મામલામાં અત્યાર સુધી શું થયું?
અણેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ ભારતે કૂટનીતિક સ્તરે વાતચીત તેજ કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત તમામ દરવાજા ખુલ્લા રાખીને અમેરિકા સાથે વેપાર વાર્તા ચાલુ રાખશે.