Drugs Case: હજુ જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર કાલે વધુ સુનાવણી

ડ્રગ્સ કેસમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે પણ રાહત મળી નહીં. બોમ્બે હાઈકોર્ટ તેની જામીન અરજી પર હવે ગુરૂવારે સુનાવણી કરશે. 

Drugs Case: હજુ જેલમાં રહેશે આર્યન ખાન, જામીન અરજી પર કાલે વધુ સુનાવણી

મુંબઈઃ ડ્રગ્સ કેસમાં ફસાયેલા બોલીવુડ અભિનેતાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને હજુ જેલમાં રહેવું પડશે. સતત બીજા દિવસે બોમ્બે હાઈકોર્ટમાં આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. પરંતુ આજે પણ આર્યન ખાનને રાહત મળી નથી. કોર્ટ હવે જામીન અરજી પર આવતીકાલે ફરી સુનાવણી કરશે. 

આર્યન તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા છે. તો અરબાઝ મર્ચન્ટ વતી અમિત દેસાઈ હાજર થયા હતા. તેમણે કહ્યું કે જ્યારે કથિત ગુનામાં એક વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે. CrPCની કલમ 41A હેઠળ નોટિસ જારી કરવી જોઈતી હતી. નાના ગુનાઓમાં ધરપકડ અપવાદ છે. આ અર્નેશ કુમારના નિર્ણયનો આદેશ છે (ચુકાદાને ટાંકીને). તેમણે કહ્યું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. હવે 'ધરપકડ એ નિયમ અને જામીન અપવાદ છે' એવું બની ગયું છે.

મંગળવારે આર્યન ખાનના વકીલે કોર્ટમાં કરી હતી ધારદાર દલીલો
સુનાવણી દરમિયાન મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું કે મને મંગળવારે બપોરે જામીન અરજી પર NCBના જવાબની કોપી મળી છે અને મેં જવાબ દાખલ કર્યો છે. તેણે આર્યનનો બચાવ કરતા કહ્યું કે, "તેને (આર્યન ખાન) ક્રુઝ પર વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેને પ્રતિક ગાબાએ આમંત્રિત કર્યા હતા, જે ઓર્ગેનાઈઝર હતા. તેણે આર્યન અને આરોપી અરબાઝ મર્ચન્ટને આમંત્રણ આપ્યું હતું. બંનેને એક જ વ્યક્તિએ આમંત્રણ આપ્યું હતું. તેઓ બંને સાથે ક્રુઝ પર ગયા હતા."

મુકુલ રોહતગીએ કહ્યું કે એવું લાગે છે કે NCB પાસે અગાઉથી માહિતી હતી કે લોકો આ ક્રૂઝ પર ડ્રગ્સ લેતા હતા, તેથી તેઓ ત્યાં મોટી સંખ્યામાં હાજર હતા. તેમણે કહ્યું કે ત્યારથી કોઈ રિકવરી થઈ નથી. આર્યન ખાનની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે આરોપ છે કે આરોપી અરબાઝ મર્ચન્ટ તેની સાથે ક્રુઝ પર ગયો હતો અને તેના પર ડ્રગ્સ રાખવાનો આરોપ છે.

ક્રુઝ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી શું થયું?

- 2 ઓક્ટોબરે ક્રૂઝ પર દરોડા દરમિયાન આર્યન ખાન સહિત 11 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, બાદમાં તમામની ધરપકડ કરવામાં આવી હતી.

-4 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને NCB રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

-7 ઓક્ટોબરે આર્યન ખાનને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.

-આર્યન ખાનની જામીન અરજી 8 ઓક્ટોબરે ફોર્ટ કોર્ટમાં ફગાવી દેવામાં આવી હતી.

-14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે આર્યનના જામીન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.

-20 ઓક્ટોબરે આર્યનની જામીન અરજી પણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

-20 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાં આર્યનની જામીન અરજી કરવામાં આવી હતી.

-21 ઓક્ટોબરે અભિનેત્રી અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news