)
Maharashtra: મહારાષ્ટ્રના યવતમાલથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ઝાડની મદદથી ખેડૂત રાતોરાત કરોડપતિ બની ગયો છે. હા, આ સાચી વાત છે. આ અવિશ્વસનીય ઘટના પુસદ તાલુકાના ખુર્શી ગામની છે, જ્યાં કેશવ શિંદે નામનો ખેડૂત માટે પોતાની સાત એકર જમીનમાં આવેલું એક લાલ ચંદનનું ઝાડ તેના માટે લોટરી બની ગયું. આશરે 100 વર્ષ જૂના આ ઝાડને કારણે તેનું ભાગ્ય પલટાયું છે.
હકીકતમાં વર્ષ 2013-2014 સુધી શિંદેના પરિવારને ખબર નહોતી કે તેના ખેતરમાં રહેલું આ ઝાડ રક્ત ચંદનની પ્રજાતિનું છે. આ દરમિયાન કર્ણાટકના કેટલાક લોકો આ રેલવે લાઈનને જોવા આવ્યા હતા. તેમણે શિંદેના પરિવારને જણાવ્યું કે આ ઝાડ રક્ત ચંદનનું છે, જેની બજારમાં વધુ કિંમત છે. આ સાંભળી શિંદે પરિવાર આશ્ચર્યમાં મુકાયો હતો.
ત્યારબાદ રેલવેએ તે જમીનનં અધિગ્રહણ તો કર્યું, પરંતુ ઝાડની કિંમત આપવામાં આનાકાની કરી. ત્યારે શિંદે પરિવારે અંગત રીતે ઝાડનું મૂલ્યાંકન કરાવ્યું, જેની કિંમત આશરે 4 કરોડ 97 લાખ રૂપિયા આંકવામાં આવી હતી. પરંતુ રેલવેએ આ મૂલ્યનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ શિંદે પરિવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
આ મામલો મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેંચમાં પહોંચ્યો હતો. કોર્ટે મધ્ય રેલવેને નિર્દેશ આપ્યો કે ઝાડના મૂલ્યના બદલામાં એક કરોડ રૂપિયાની રકમ કોર્ટમાં જમા કરવામાં આવે. કોર્ટે આ રકમમાંથી 50 લાખ રૂપિયા શિંદે પરિવારના ખાતામાં જમા કરવાનો આદેશ આપ્યો અને તેને આ રકમ ઉપાડવાની મંજૂરી આપી. સાથે બાકી મૂલ્યનું યોગ્ય મુલ્યાંકન કરી ખેડૂતને સંપૂર્ણ વળતર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
ખેડૂત શિંદેએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમણે રક્ત ચંદન વૃક્ષનું મૂલ્યાંકન એક ખાનગી એન્જિનિયર દ્વારા કરાવ્યું હતું, પરંતુ રેલવેએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો કારણ કે ઉચ્ચ કિંમત દર્શાવવામાં આવી હતી. આ પછી પરિવારે આ મામલો હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. લગભગ 100 વર્ષ જૂના આ વિશાળ લાલ ચંદનના વૃક્ષના બદલામાં, મધ્ય રેલવેએ હવે 1 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, જેમાંથી 50 લાખ રૂપિયા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.