)
નવી દિલ્હીઃ સત્તા પક્ષ એનડીએ બાદ વિપક્ષના ઈન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. વિપક્ષ દ્વારા સુદર્શન રેડ્ડીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે. દિલ્હીમાં યોજાયેલી વિપક્ષની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ જાહેરાત કરી હતી.
#WATCH | INDIA alliance names former Supreme Court Judge B. Sudershan Reddy as its candidate for the Vice President of India post
Congress President Mallikarjun Kharge says, "This vice-presidential contest is an ideological battle, and all the opposition parties agreed on this,… pic.twitter.com/r7glvCdDjj
— ANI (@ANI) August 19, 2025
કોણ છે બી સુદર્શન રેડ્ડી?
બી સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ 1946ના થયો હતો. તેમણે ઉસ્માનિયા વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો હતો. બી સુદર્શન રેડ્ડી ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ અને ગોવાના પહેલા લોકાયુક્ત છે. સુદર્શન રેડ્ડીનો જન્મ આંધ્રપ્રદેશના રંગા રેડ્ડી જિલ્લાના અકુલા માયલારમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો.
પોતાના કરિયરની શરૂઆત રેડ્ડીએ સિવિલ અને બંધારણીય મામલાની પ્રેક્ટિસથી કરી અને આંધ્ર પ્રદેશના સીનિયર એડવોકેટ કે. પ્રતાપ રેડ્ડીની સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 8 ઓગસ્ટ 1988ના તેમની આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં સરકારી પ્લીડર તરીકે નિમણૂંક કરવામાં આવી અને તેઓ કેન્દ્ર સરકારના એડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સલ બન્યા.
1993ના આંધ્રપ્રદેશ હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને ઉસ્માનિયા યુનિવર્સિટીના લીગલ એડવાઇઝર પણ રહ્યાં. ન્યાયીક કરિયરમાં આગળ વધતા રેડ્ડી 2 મે 1993ના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા. ત્યારબાદ 5 ડિસેમ્બર 2005ના ગુવાહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા.
સુદર્શન રેડ્ડીની 12 જાન્યુઆરી 2007મા સુપ્રીમ કોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી અને તેઓ 8 જુલાઈ 2011ના નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તેમણે માર્ચ 2013મા ગોવાના પ્રથમ લોકાયુક્તના રૂપમાં કાર્યકાર સંભાળ્યો, પરંતુ ઓક્ટોબર 2013મા વ્યક્તિગત કારણોને લીધે રાજીનામું આપી દીધું હતું.