આ ગામડામાં છોકરાઓને લગ્ન માટે નથી મળી રહી છોકરી, નથી પૈદા થઈ રહ્યા બાળકો, સ્કૂલમાં વધ્યા છે 4 વિદ્યાર્થી!

Village of Bachelors: કેરળમાં એક એવું ગામ છે જેને લોકો 'બેચલર્સનું ગામ' પણ કહે છે. કહેવાય છે કે અહીં કોઈ છોકરી ઝડપથી લગ્ન કરવા તૈયાર નથી. જન્માક્ષર મેળ ખાય તો પણ છોકરા અને છોકરી વચ્ચે લગ્નનું મિલન શક્ય નથી.

આ ગામડામાં છોકરાઓને લગ્ન માટે નથી મળી રહી છોકરી, નથી પૈદા થઈ રહ્યા બાળકો, સ્કૂલમાં વધ્યા છે 4 વિદ્યાર્થી!

Village of Bachelors: છોકરા-છોકરી સાથે લગ્ન ન કરવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ લગ્ન ન થવાનું કારણ ગામ હોઈ શકે? કદાચ તમે આ પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય, પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એક એવું ગામ છે જ્યાં કોઈ પણ છોકરાઓ સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. તેથી જ આ ગામને 'બેચલર્સનું ગામ' નામ આપવામાં આવ્યું છે. આ હાવેરી જિલ્લાનું જોંદાલગટ્ટી ગામ છે.

શું છે લગ્ન ના કરવાનું કારણ?
કેરળના જોંદાલગટ્ટી ગામના છોકરાઓ માટે લગ્ન કરવું કોઈ મોટા કામથી ઓછું નથી. કારણ કે છોકરીઓ અને તેમના પરિવારો આ ગામ સાથે કોઈ સંબંધ સ્થાપિત કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરે છે. હવે તમે વિચારતા હશો કે ગામમાં એવું શું છે કે ત્યાંની છોકરીઓ છોકરાઓ સાથે લગ્ન કરવાની ના પાડે છે? તો તેની પાછળનું કારણ માત્ર ગામની નબળી સ્થિતિ છે બીજું કંઈ નથી.

Add Zee News as a Preferred Source

રહે છે 200 લોકોની વસ્તી
આ ગામમાં આરોગ્ય સેવાઓ, રસ્તા, સંદેશાવ્યવહાર અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ નહિવત છે. જેના કારણે અહીં લગ્ન કરી શકાય તેવા યુવકની સાથે પણ કોઈ યુવતી સ્વીકારવા તૈયાર નથી. લગભગ 200 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં, 20 થી વધુ યુવકો વર્ષોથી લગ્ન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ માત્ર થોડા જ લોકો યોગ્ય છોકરી શોધી શક્યા છે.

શાળામાં બચ્યા છે માત્ર 5 બાળકો
કોઈ ચોક્કસ જગ્યાએ લાંબા સમયથી લગ્ન ન કરવાવાળા યુવક-યુવતીઓ તે જગ્યાના ભવિષ્ય અંગે પણ અનેક સવાલો ઉભા કરે છે. જેમ કે પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. આ ઘટનાની અસર શાળાઓ પર પણ જોવા મળી રહી છે. કારણ કે ગામમાં નવા બાળકોનો જન્મ થવાનું બંધ થઈ ગયું છે, આ વર્ષે શાળામાં કોઈ નવો પ્રવેશ થયો નથી. શાળામાં માત્ર પાંચ બાળકો છે અને આંગણવાડી સાવ ખાલી છે.

રહે છે 41 પરિવાર
એક માહિતી અનુસાર જોંદાલગટ્ટી ગામમાં મોટાભાગે મરાઠા સમુદાયના લોકો રહે છે. અહીંના 41 પરિવારોમાંથી 34 પરિવાર આ સમુદાયના છે, જ્યારે બાકીના પરિવારો ઓબીસી સમુદાયના છે. ગામના કેટલાક યુવાનોએ તાજેતરમાં જ વિધાનસભ્ય યાસિર અહેમદ ખાન પઠાણ સમક્ષ એક જાહેર સંવાદ સભામાં લગ્નની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય સાથે પણ બેઠક યોજી
એક અહેવાલ અનુસાર, ધારાસભ્ય સાથેની મુલાકાત દરમિયાન ગામના લોકોએ જણાવ્યું કે ગામમાંથી મુખ્ય માર્ગ પર જવા માટે જંગલમાંથી પસાર થવું પડે છે. જો કે ત્યાં બસની સુવિધા થોડા દિવસો પહેલા જ શરૂ કરવામાં આવી છે, પરંતુ તે સવારે જ મળે છે અને પછી સાંજે પરત આવે છે. તેમણે કહ્યું કે જન્માક્ષર વગેરે બધું મળી જાય છે પરંતુ ગામની ખરાબ સ્થિતિને કારણે છોકરીઓ લગ્ન કરવાનો ઇનકાર કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news