J&Kમાં પુલવામા હુમલા જેવી દુર્ઘટના ફરી કરવાની ફિરાકમાં જૈશ એ મોહમ્મદ !

નામ જાહેર નહી કરવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, નિષ્ણાંતોને રાજ્યમાં આતંકવાદી વિરોધી અભિયાનમાં રહેલા સુરક્ષા દળો સાથે માહિતી વહેંચવામાં આવી

J&Kમાં પુલવામા હુમલા જેવી દુર્ઘટના ફરી કરવાની ફિરાકમાં જૈશ એ મોહમ્મદ !

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં એક મોટા આતંકવાદી હુમલા અંગે ગુપ્ત માહિતી, જેને કથિત રીતે પાકિસ્તાન દ્વારા વહેંચવામાં આવ્યું છે, ત્યાર બાદ ખીણમાં હાઇએલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, ગુપ્ત માહિતીમાં કહેવામાં આવ્યું કે, હાલમાં જ સુરક્ષા દળોમાં મારવામાં આવેલા અંસાર ગજાવતુલ હિંદ (એજીએસ)નાં સરગણા જાકિર મુસાની મોતનો બદલો લેવા માટે અલકાયદાની દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં અવંતીપોરા વિસ્તારમાં એક જુલાઇથી ચાલુ થઇ રહેલ અમરનાથ યાત્રા દરમિયાન અથવા તે અગાઉ હુમલાને આપવાની યોજના છે. 

કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સ્વીકાર્યું, પાર્ટીમાં 'મોટી સર્જરી' કરવાની જરૂર 
સમગ્ર રાજ્યમાં બહાર પાડવામાં આવ્યું હાઇ એલર્ટ
નામ જાહેર નહી કરવાની શરતે અધિકારીએ જણાવ્યું કે, માહિતીને રાજ્યમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં લાગેલ તમામ સુરક્ષા દળોની સાથે વહેંચવામાં આવી છે. હાઇ એળર્ટ ઇશ્યું કરી દેવામાં આવ્યું છે, જો કે આગામી અમરનાથ યાત્રાનાં કારણે સુરક્ષાદળો પહેલાથી જ મહત્તમ એલર્ટ પર છે. 

વિધાનાસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ, 8 કેબિનેટ, 5 રાજ્યમંત્રી થયા સામેલ
450 વધારાની કંપનીઓને કર્યા ફરજંદ
તીર્થયાત્રી અમરનાથની પવિત્ર ગુફા સુધી જવા માટે જે રસ્તાથી જાય છે, તે રસ્તો અવંતિપોરાથી પસાર થાય છે. સંભવિત હુમલાની માહિતીને સેના, સીઆરપીએફ, બીએસએફ, આઇટીબીપી, એસએશબી અને રાજ્ય પોલીસ સાથે વહેંચવામાં આવી છે. તેમણે કહ્યું કે, આગામી અમરનાથ યાત્રાની સમગ્ર સુરક્ષા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)ની લગભગ 450 વધારાની કંપનીઓને ફરજંદ કરવામાં આવી રહી છે. આ પહેલાથી જ આતંકવાદ વિરોધી અભિયાનમાં લાગેલી કંપનીઓને વધારાની કંપનીઓ છે. 

પશ્ચિમ બંગાળ: મમતા બેનરજી સાથે વાત કરવા તૈયાર ડોક્ટર, હડતાળનો અંત આવશે!
જાકીર મુસાની મોતનો બદલો લેવાનો પ્રયાસ?
અધિકારીએ કહ્યું કે, ગુપ્ત માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, અલ કાયદા એજીએચ સરગણા જાકીર મુસાનાં મોતનો બદલો લેવા માટે હુમલાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો આ માહિતી નથી મળતી તો પણ સુરક્ષામાં ઘટાડો કરવાનો સવાલ નથી ઉઠતો. 14 ફેબ્રુઆરીએ પુલવામા જિલ્લામાં સીઆપીએફનાં કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાન મરાયા હતા. આ હુમલાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news