દેશની અગ્રણી FMCG કંપનીઓમાંની એક, પતંજલિએ તેના વિકાસ, રોજગાર સર્જન અને સ્વદેશી ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, અને તેના અનોખા વ્યવસાય મોડેલ અને કિંમત નિર્ધારણ વ્યૂહરચનાથી FMCG બજારને પણ પ્રભાવિત કર્યું છે.

નવી દિલ્હીઃ પતંજલિ આયુર્વેદ કંપની જેણે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના અર્થતંત્રને વધાવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણના નેતૃત્વમાં આ કંપની માત્ર આયુર્વેદિક પ્રોડક્ટ્સ વેચી રહી નથી, પરંતુ ગ્રામીણ અને શહેરી બંને સેક્ટરમાં રોજગાર અને વિકાસની તક ઉભી કરી રહી છે. કંપનીના રેવેન્યુ અને પ્રોફિટમાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશની ટોપ લીડિંગ એફએમસીજી કંપનીઓમાંથી એક પતંજલિએ વિકાસ, રોજગાર નિવ્માણ અને સ્વદેશી પ્રોડક્ટ પર ફોકસ કર્યું છે. કંપનીએ પોતાના યુનિક બિઝનેસ મોડલ અને પ્રોજેક્ટ્સના સસ્તા ભાવ રાખી પજંતલિએ FMCG અને આયુર્વેદિક પ્રોડક્ટ્સની બજારમાં પોતાની પકડ બનાવી છે. હા, પરંતુ પતંજલિનું ઈન્વેસ્ટમેન્ટ કઈ રીતે ભારતની ઈકોનોમીને સુધારવાનું કામ કરી રહ્યું છે. આવો જાણીએ.
પતંજલિએ ગામોના વિકાસ માટે ઘણી પહેલ કરી છે, જે ગામોની ઇકોનોમીને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે.
કૃષિ આધારિત વિકાસ મોડલ
2025મા પતંજલિએ મધ્યપ્રદેશના મઉગંજ જિલ્લામાં એક મોટો ખેતી પર આધારિત વિકાસ પ્લાન શરૂ કરવા જઈ રહી છે, તેમાં ખેતીની અલગ-અલગ રીત (એટલે પાક વિવિધતા), ખેડૂતો માટે ટ્રેનિંગ સેન્ટર, બીજ તૈયાર કરવાનું યુનિટ્સ અને પાકને શરૂમાં પ્રોસેસ કરનાર યુનિટ્સ સામેલ છે. આ પ્રોજેક્ટસ લાગૂ થવા પર ખેડૂતોની કમાણી વધી શકે છે, જેનાથી તે આર્થિક રૂપે મજબૂત બનશે. ઉપરાંત, આ રીતે ખેડૂતોને જંતુનાશકો, રાસાયણિક ખાતરો અને વધુ પડતા પાણી પર ઓછો આધાર રાખવો પડશે. આનાથી તેમનો ખેતીનો ખર્ચ પણ ઘટશે અને તેઓ વધુ ટકાઉ અને સારી ખેતી પદ્ધતિઓ અપનાવી શકશે, અને આનાથી ગામડાઓનો વિકાસ થશે અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે.
ઓર્ગેનિક ખેતી અને ખેડૂતોની સ્થિતિમાં સુધાર કરવો
પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (PORI) ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ કરવાનું કામ કરે છે. તેનો ઉદ્દેશ્ય માટીની સપાટીને ઠીક કરવો અને ખેડૂતોને મજબૂત બનાવવાનો છે. આ ઈન્સ્ટીટ્યુટ ખેડૂતોને ઓર્ગેનિક ખાતર, સારી ક્વોલિટીના બીજ અને સસ્તા ઇનપુટ્સ આપે છે. જેનો ખર્ચ ઓછો હોય છે અને આવક વધે છે. તો પતંજલિ ખેડૂત સમૃદ્ધિ પ્રોગ્રામ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ અને કૃષિ કૌશલ પરિષદ ભારતની સાથે સામેલ છે.
પતંજલિની કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) પ્રવૃત્તિઓ
પતંજલિ તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રવૃત્તિઓ દ્વારા લોકોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા, ગામડાઓનો વિકાસ કરવા, પર્યાવરણ બચાવવા અને શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પતંજલિનો CSR એટલે કે કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યેનો અભિગમ તેના મિશન સાથે જોડાયેલો છે. તેનો અર્થ એ છે કે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું. તે ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા, પર્યાવરણ બચાવવા અને આયુર્વેદ અને યોગ જેવી આપણી પ્રાચીન ભારતીય રીતોને જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની તેના સામાજિક કાર્યને તેના વ્યવસાય સાથે જોડીને ચલાવે છે, જેથી તેનું કાર્ય ફક્ત નફો કમાવવા પૂરતું મર્યાદિત ન રહે પણ સમાજ અને પર્યાવરણ બંનેને ફાયદો થાય.
પતંજલિનું ઈન્વેસ્ટમેન્ટ શહેરોની ઇકોનોમીને પ્રોત્સાહન આપી રહ્યું છે
પ્રોડક્શન યુનિટ્સનો વિસ્તાર
પતંજલિએ શહેરી જગ્યાઓ જેમ કે નોઇડા, નાગપુર અને ઈન્દોરમાં પોતાની પ્રોડક્શન સુવિધાનો વિસ્તાર કર્યો છે. વિશેષ રૂપથી માર્ચ 2025મા પતંજલિએ નાગપુરમાં એશિયાનો સૌથી મોટો લીંબુ (ઓરેન્જ) પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. જેમાં 1500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ 800 ટન ફળોને પ્રોસેસ કરવાની ક્ષમતા રાખે છે અને સ્થાનિક ખેડૂતોને લાભ પહોંચાડવાની સાથે-સાથે શહેરમાં લોકોને રોજગાર આપવામાં યોગદાન આપી રહ્યું છે.
રિટેલ ફ્રેન્ચાઇઝી નેટવર્ક
પતંજલિએ દેશમાં 15000 સ્ટોર ખોલ્યા છે, જેમાં ન માત્ર ઉપભોક્તાઓને આયુર્વેદિક પ્રોડક્ટ સરળતાથી મળી રહી છે. પરંતુ હજારો લોકોને રોજગાર પણ મળી રહ્યો છે. કંપની ડેરી, ઈન્સટન્ટ ફૂડ, બેબી કેર, પ્રાકૃતિક કોસ્મેટિક્સ અને હેલ્થ સપ્લીમેન્ટ્સ જેવા સેગમેન્ટમાં નવી પ્રોડક્ટ્સ લાવવાની યોજના બનાવી રહી છે, જેનાથી આ ક્ષેત્રમાં વધુ રોજગારની તક ઉભી થશે.