)
IMD Weather Alert : હવામાન વિભાગે વરસાદને લઈને આજે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ પણ ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આજે ઘરેથી નીકળતા પહેલા તમારે આગાહી જાણી લેવી જોઈએ. સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું પૂરું થવાનું છે પણ વાદળો હજુ પણ મનમાની કરી રહ્યા છે. રોકાવું નામ નથી લઈ રહ્યા ત્યારે પરિણામ સર્વત્ર વિનાશ છે. હિમાચલ પ્રદેશ હોય કે પંજાબ. પંજાબમાં નદીઓએ તબાહી મચાવી છે, આ તબાહી સામાન્ય નથી, પૂરના પાણી તમામ 23 જિલ્લાઓમાં વિનાશ સર્જી રહ્યા છે. મોટાભાગની તબાહી પંજાબ અને હિમાચલ પ્રદેશમાં થયો છે. ગુરદાસપુર, ફાઝિલ્કા અને ફિરોઝપુર જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા છે. લોકોને મદદ કરવા માટે સેના આગળ આવી છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં આજે એલર્ટ
7 સપ્ટેમ્બરે ઘણા શહેરોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. રવિવારે રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં હવામાન બગડી શકે છે. ભારે વરસાદની આગાહી છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો, સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રવિવારે પંજાબમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, જેના કારણે પાણી ઓછું થવાની ધારણા છે. તેવી જ રીતે આજે ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનનો ભય છે, તેથી તમારે થોડા દિવસો માટે આ રાજ્યોની મુલાકાત લેવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ અને જો તમે આ રાજ્યોમાં રહો છો, તો જિલ્લા વહીવટીતંત્રની ચેતવણીનું પાલન કરો.
પંજાબની સ્થિતિ ખૂબ જ ખરાબ
પંજાબના 1948 ગામડાઓ પૂરમાં ડૂબી ગયા. 3.8 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા. 11.7 લાખ હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી ગઈ છે. અત્યાર સુધીમાં 43 લોકો મૃત્યુ પામ્યા છે. તો લાખો લોકો વીજળી વિના રહેવા માટે મજબૂર છે. એક આંકડા મુજબ, 1948 ગામો પૂરમાં ડૂબી ગયા છે. પૂરથી 4 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. 12 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન નાશ પામી છે. લાખો લોકો વીજળી અને સ્વચ્છ પાણીથી વંચિત છે.
ભારત-પાકિસ્તાન સરહદ નજીક પંજાબનું છેલ્લું ગામ તેજા રૂહેલા પણ પૂરમાં ડૂબી ગયું છે. સતલજ નદીનું પાણી હાલમાં ગામમાંથી વહી રહ્યું છે. સેના લોકોને રાહત પહોંચાડવામાં વ્યસ્ત છે. અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.
સેનાના જવાનોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું છે. તેઓ પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી રહ્યા છે. તેઓ પશુઓ માટે રહેવા, ખોરાક અને ચારાની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. પૂરને કારણે ફાઝિલ્કામાં પણ પરિસ્થિતિ સતત બગડી રહી છે. અહીંના 25 ગામોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. લોકો અહીં-ત્યાં પૂરના પાણીમાં ફસાયેલા છે. ખેતરો અને ઘરો બધા પાણીમાં ડૂબી ગયા છે. સેના લોકોને રાશન અને તબીબી સહાય પૂરી પાડવામાં વ્યસ્ત છે.
રાવી, બિયાસ અને સતલજ નામની ત્રણ બારમાસી નદીઓ પંજાબમાંથી વહે છે અને ત્રણેય નદીઓ હાલમાં પૂરની લપેટમાં છે. આ જ કારણ છે કે પંજાબ પૂરમાં ડૂબી ગયું છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પહાડ તૂટવાથી વિનાશ ચાલુ છે. ક્યાંક વાદળો ફાટી રહ્યા છે તો ક્યાંક ભૂસ્ખલન થઈ રહ્યું છે.