IND-PAK Tension: 6 દિવસમાં 786 પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાન પાછા ફર્યા, જાણો કેટલા ભારતીયો પરત ફર્યા
Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવનો માહોલ છે. ભારતે તત્કાળ પ્રભાવથી પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા. ત્યારે અત્યાર સુધીમાં કેટલાક પાકિસ્તાનીઓ પાકિસ્તાન પરત ફર્યા અને કેટલા ભારતીયો સ્વદેશ પાછા ફર્યા તે જાણો.
Trending Photos
IND-PAK Tension: પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે અત્યંત આકરું વલણ અપનાવ્યું અને પાકિસ્તાનીઓના વિઝા રદ કરી નાખ્યા. આ કાર્યવાહી બાદથી અટારી બોર્ડરથી 786 પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવ્યા. જ્યારે 1376 ભારતીયો પાકિસ્તાનથી પરત ફર્યા છે. આ આંકડા 24 એપ્રિલથી 29 એપ્રિલ સુધીના છે.
પાકિસ્તાનીઓની વાપસીની સૌથી વધુ સંખ્યા 27 એપ્રિલે જોવા મળી. આ દિવસે 237 પાકિસ્તાનીઓ પોતાના દેશ પાછા ફર્યા. જ્યારે 25 એપ્રિલના રોજ 191 પાકિસ્તાનીઓ પોતાના દેશ પાછા ફર્યા. 24 એપ્રિલે 28, 26 એપ્રિલના રોજ 81, 28 એપ્રિલે 145 અને 29 એપ્રિલના રોજ 104 પાકિસ્તાનીઓને પાછા મોકલવામાં આવ્યા હતા.
કેટલા ભારતીયો પાછા ફર્યા
પાકિસ્તાનથી પાછા આવનારા ભારતીયોની વાત કરીએ તો કુલ પાછા ફરેલા ભારતીયોની સંખ્યા 1376 છે. અત્રે જણાવવાનું કે 24 એપ્રિલે સરકારે જાહેરાત કરી હતી કે તમામ પાકિસ્તાની નાગરિકોએ 27 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવું જોઈએ. જો કે જેમની પાસે મેડિકલ વિઝા હતા તેમને 29 એપ્રિલ સુધી છૂટ મળી હતી.
અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે કડક નિર્ણયો લેતા પાકિસ્તાનીઓના તત્કાળ પ્રભાવથી વિઝા રદ કર્યા હતા. કોઈ પણ પાકિસ્તાની નાગરિકને આગામી નિર્ણય સુધી ભારતીય વિઝા મળશે નહીં.
ભારતીયોને અપાઈ સલાહ
રાજનયિક, અધિકૃત અને લાંબા સમયવાળા વિઝા ધારકોને આ આદેશમાંથી છૂટ અપાઈ છે. 12 પ્રકારના શોર્ટ ટર્મ વિઝાવાળા પાકિસ્તાની નાગિરકો માટે ભારતમાં રોકાવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ હતી. આ કડકાઈ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કરાઈ જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારે ભારતીય નાગરિકોને પાકિસ્તાન ન જવાની સલાહ આપી છે. જે ભારતીયો હાલ પાકિસ્તાનમાં છે તેમને જલદી ભારત પાછા ફરવાનું કહેવાયું છે.
પાકિસ્તાનીઓની થઈ રહી છે ઓળખ
એક અધિકારીએ જણાવ્યું કે અનેક પાકિસ્તાની નાગરિક દુબઈ કે અન્ય રસ્તે ફ્લાઈટ દ્વારા ભારત છોડી ચૂક્યા છે. કારણ કે ભારતથી પાકિસ્તાન માટે સીધી કોઈ ફ્લાઈટ નથી. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાની નાગરિકો ભારત છોડશે કારણ કે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દશભરમાં રહેતા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરી રહી છે.
29 એપ્રિલ બાદ ભારતમાં રહેવું ગેરકાયદેસર
તેમણે જણાવ્યું કે આ માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગુપ્તચર એજન્સીઓ પણ સહયોગ કરી રહી છે. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે 29 એપ્રિલ બાદ જો કોઈ પાકિસ્તાની નાગરિક ભારતમાં રોકાશે તો તેની હાજરી ગેરકાયદેસર ગણાશે અને તેના પર કડક કાર્યવાહી કરાશે. ભઙારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક કાર્યવાહી કરી છે. જેમાંનો એક નિર્ણય આ પણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે