Independence Day 2025: આજે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, ભારતે નક્કી કર્યું છે કે તે હવે પરમાણુ ધમકીઓને સહન કરશે નહીં.

Independence Day 2025: દેશ આજે 15 ઓગસ્ટ 2025ના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત 12મી વખત તિરંગો ફરકાવ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દિલ્હીમાં સુરક્ષા દળો પણ એલર્ટ મોડ પર છે. પ્રધાનમંત્રી મોદી પદ પર રહીને તેમનું 12મું ભાષણ આપી રહ્યા છે.
દેશને સંબોધન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીનો પર્વ સંકલ્પોનો પર્વ છે. એકતાની ભાવનાને દેશ મજબૂત બનાવી રહ્યો છે. સંવિધાન પ્રકાશ સ્તંભ બની દેશને પ્રકાશિત કરી રહ્યો છે. આ સામૂહિક સિદ્ધિઓનો પર્વ છે. લાલ કિલ્લા પર આજે ઘણા ખાસ મહાનુભાવો હાજર છે. આપણે કલમ 370ની દિવાલ તોડીને ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
પરમાણુ બ્લેકમેલિંગ સહન નહીં કરીએ: લાલ કિલ્લા પરથી પીએમ મોદીની ચેતવણી
15 ઓગસ્ટનું વિશેષ મહત્વ પણ જોવા મળી રહ્યું છે. આજે મને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઓપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સેલ્યુટ કરવાનો મોકો મળ્યો. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહારની સજા આપી અને પહેલગામમાં સરહદ પારથી આતંકવાદીઓએ આવી જે રીતે નરસંહાર કર્યો. ધર્મ પૂછી-પુછીને લોકોને મારવામાં આવ્યા. પત્નીની સામે પતિને ગોળી મારી દેવામાં આવી, બાળકોની સામે પિતાને મારી નાખવામાં આવ્યા. આખું હિન્દુસ્તાન આક્રોશથી ભરેલું છે. ઓપરેશન સિંદૂર એ આક્રોશની અભિવ્યક્તિ છે.
પાકિસ્તાનમાં થયેલી તબાહી એટલી મોટી છે કે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આપણો દેશ ઘણા દાયકાઓથી આતંકવાદ સહન કરી રહ્યો છે. દેશની છાતી વીંધાઈ ગઈ છે. આપણે હવે આતંકવાદ અને આતંકવાદીઓને પોષનારાઓને શક્તિ આપનારાઓને હવે અલગ-અલગ નહીં ગણીએ. તેઓ માનવતાના સમાન દુશ્મનો છે. તેમની વચ્ચે કોઈ ફરક નથી. ભારતે નક્કી કરી લીધું છે કે પરમાણુ ધમકીઓને હવે આપણે સહન નહીં કરીએ. પરમાણુ બ્લેકમેલ ઘણા સમયથી ચાલી રહ્યું છે. પરંતુ આપણે તેને સહન નહીં કરીએ. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે.
સિંધુ કરાર એકતરફી હતો: PM મોદી
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ કહ્યું કે, ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એકસાથે વહેશે નહીં. ભારતીય નદીઓનું પાણી દુશ્મનો સિંચાઈ કરી રહ્યું છે. હિન્દુસ્તાનને તેનો અધિકાર પાણી મળશે. તેના પર હિન્દુસ્તાનના ખેડૂતોનો અધિકાર છે. સિંધુ કરાર એકતરફી અને અન્યાયપૂર્ણ હતો. રાષ્ટ્રીય હિતમાં આ કરાર સ્વીકાર્ય નથી.
દુશ્મનને પણ ખબર ન પડી ક્યાં હથિયાર હતા: PM મોદી
PM મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું કે, ગુલામીએ આપણને ગરીબ બનાવી દીધા છે. આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી છે. તેથી આપણી સામર્થ્યને બચાવી રાખવા અને વધારો કરવા માટે આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે. આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું કે મેડ ઇન ઇન્ડિયાએ અજાયબીઓ કરી. દુશ્મનને પણ ખબર નહોતી કે ક્યાં-ક્યાં હથિયાર હતા. જો આપણે આત્મનિર્ભર ન હોત, તો શું ઓપરેશન સિંદૂર આટલી ઝડપી ગતિથી કરી શક્યા હોત? ખબર નથી કે કયા સાધનો મળશે, તેની ચિંતા રહેતી. પરંતુ આપણે મેડ ઇન ઇન્ડિયાની શક્તિ સેનાના હાથમાં આપી, તેથી ચિંતા કર્યા વિના, કોઈ અવરોધ વિના, કોઈ ખચકાટ વિના, આપણી સેનાએ પોતાનું બહાદુરીનું પ્રદર્શન કરતી રહી. છેલ્લા 10 વર્ષથી સતત ડિફેન્સના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના મિશનને લઈ ચાલ્યા છે.